ગુજરાતમાં મોદી, કોંગ્રેસ ગરીબ બાળકોના મોઢામાંથી અન્ન છીનવી રહી છે
ગુજરાતના જૂનાગઢમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા છે. નરેન્દ્ર મોદીએ અહીં કહ્યું કે કોંગ્રેસનો ઇતિહાસ ઘોટાળાથી ભરેલો છે.
ગુજરાતના જૂનાગઢમાં ચૂંટણી રેલીને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા છે. નરેન્દ્ર મોદીએ અહીં કહ્યું કે કોંગ્રેસનો ઇતિહાસ ઘોટાળાથી ભરેલો છે. આ પાર્ટી જયારે પણ સત્તામાં આવી ત્યારે તેમને ઘોટાળા કર્યા. મોદીએ કહ્યું કે કોંગ્રેસ ગરીબ બાળકોના માથામાંથી કોળિયા છીનવીને તેમના નેતાઓના પેટ ભરી રહી છે. ગર્ભવતી મહિલાઓને મોકલવામાં આવેલા પૈસા લૂંટી રહી છે.
આ પણ વાંચો: રાફેલ ડીલ પર કોંગ્રેસનો પ્રહાર, કહ્યું- મોદીજી તપાસ શરૂ થઈ ગઈ છે
મધ્યપ્રદેશને કોંગ્રેસે નેવું એટીએમ બનાવ્યું
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પુરાવાઓ સાથે કોંગ્રેસનો એક નવો ઘોટાળો સામે આવ્યો છે અને તે તુગલક રોડ ચૂંટણી ઘોટાળો છે. તમે મીડિયામાં જોઈ રહ્યા છો કે કેવી રીતે કોંગ્રેસ પાસે કોથળા ભરી ભરીને પૈસા છે. કોંગ્રેસે પહેલા કર્ણાટકને પોતાની એટીએમ બનાવ્યું અને હવે મધ્યપ્રદેશ તેમનું નવું એટીએમ બન્યું છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ ફક્ત પૈસા લૂંટવા માટે જ સત્તામાં આવે છે.
સરદાર પટેલ જો પહેલા પ્રધાનમંત્રી હોત, તો જૂનાગઢ ઘણું આગળ હોત
પીએમ મોદીએ અહીં કહ્યું કે જરા વિચારો, જો સરદાર સાહેબ ના હોત, તો જૂનાગઢ ક્યાં હોતે. કોંગ્રેસ આજે સરદાર પહેલાના સપના સાથે દરેક ભારતીયની ભાવનાને નુકશાન પહોંચાડી રહી છે. આ તે કોંગ્રેસ છે જેને સરદાર પટેલે પોતાના પુરુસાર્થથી સીંચ્યુ છે.
વિપક્ષ પાસે કોઈ એજેન્ડા નથી
પીએમ મોદીએ અહીં કહ્યું કે વિપક્ષ પાસે મોદી હટાઓ સિવાય બીજો કોઈ એજેન્ડા નથી. કોંગ્રેસના ટેપ રેકોર્ડર પર આખો દિવસ મોદી હટાઓ ગીત જ વાગે છે. મોદી જયારે આતંકવાદ હટાવવાની વાત કરે છે ત્યારે કોંગ્રેસ અને તેના સાથીઓ મોદી હટાવવાની વાત કરે છે.