એક્ઝીટ પોલ પછી માયાવતીના ઘરે પહોંચ્યા અખિલેશ યાદવ
લોકસભા ચૂંટણી 2019 અંગે હવે દેશભરમાં બધાની નજર 23 મેં દરમિયાન જાહેર થતા પરિણામ તરફ છે.
લોકસભા ચૂંટણી 2019 અંગે હવે દેશભરમાં બધાની નજર 23 મેં દરમિયાન જાહેર થતા પરિણામ તરફ છે. લોકસભા ચૂંટણીના સાતે તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે. મતદાન પૂરું થયા પછી મોટાભાગના એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએ ગઠબંધનને બહુમત મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે એક્ઝીટ પોલ અનુસાર કોંગ્રેસ સત્તાથી દૂર જઈ રહેલી જોવા મળી રહી છે. એક્ઝીટ પોલમાં યુપીમાં બનેલા સપા-બસપા અને આરએલડી મહાગઠબંધનને પણ સફળતા મળતી દેખાઈ રહી છે. એક્ઝીટ પોલ પરિણામ જાહેર થયા પછી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સોમવારે સવારે બસપા સુપ્રીમો માયાવતીને મળવા માટે લખનવના તેમના ઘરે પહોંચ્યા છે.
આગળની રણનીતિ અંગે ચર્ચા
સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સોમવારે સવારે બસપા સુપ્રીમો માયાવતીને મળવા માટે લખનવના તેમના ઘરે પહોંચ્યા. સૂત્રો અનુસાર બંને નેતાઓ વચ્ચે આગળની રણનીતિ અંગે ચર્ચા થઇ. થોડા સમયની મુકાલાત પછી અખિલેશ યાદવ પોતાના આવાસ પાછા ફર્યા. બંને વચ્ચે થયેલી વાતચીત હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી.