Loksabha Election : આજે લોકસભા ચૂંટણી યોજાય તો યુપીમાં કોણ જીતે? જાણો લેટેસ્ટ સર્વે
લોકસભા ચૂંટણી 2024 માટે ઈન્ડિયા સામે એનડીએનો મુકાબલો થવા જઈ રહ્યો છે. ઈન્ડિયા એલાયન્સ બીજેપીની સરકારને સત્તામાંથી ઉતારવા મેદાને છે તો બીજેપીએ 400 પ્લસનો ટાર્ગેટ રાખ્યો છે.
ઈન્ડિયાનો એકમાત્ર ઉદ્દેશ્ય પીએમ મોદીને હરાવવા અને ભાજપને કોઈપણ સંજોગોમાં સત્તામાં આવતા રોકવાનો છે. આથી જ દરેકની નજર સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા રાજ્ય એટલે કે યુપી પર છે.

માનવામાં આવે છે કે દેશમાં સત્તાનો માર્ગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. દરેક પાર્ટીએ અહીં પહોંચવા તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. અહીં મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી છે જેણે આરએલડી સાથે ગઠબંધન કરીને જીતવાનો દાવો કર્યો છે.
સીએમ યોગીને તેમના ગઢમાં પડકારવા આસાન નથી પરંતુ સપાના વડા અખિલેશ યાદવને વિશ્વાસ છે કે આ વખતે તેમને જ જનતાનું સમર્થન અને વોટ મળશે.
શું તમામ પક્ષો સાથે મળીને ભાજપને હરાવી દેશે અને પીએમ મોદી જીતની હેટ્રિક નહીં લગાવી શકે? આ જ સવાલ દરેકના મનમાં ઘૂમી રહ્યો છે, આ જાણવા માટે ઈન્ડિયા ટીવીએ એક સર્વે કર્યો છે.
આ સર્વેમાં જનતાને સીધો સવાલ કરાયો હતો કે જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ઈન્ડિયા અને એનડીએને કેટલી સીટો મળશે? લોકોએ સર્વેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આશ્ચર્યજનક જવાબો આપ્યા.
યુપીમાં લોકસભાની 80 સીટો છે. સર્વેમાં જનતાએ એનડીએને 70 સીટો, ઈન્ડિયા એલાયન્સને 10 સીટો અને અન્યને શૂન્ય સીટો આપી છે.
આનો અર્થ એ છે કે હાલ યુપીમાં બીજેપીનો પ્રભાવ અકબંધ છે અને વિપક્ષી ગઠબંધન તેને કોઈ નુકસાન પહોંચાડવા સક્ષમ નથી. આ સર્વે 543 બેઠકો પર કરવામાં આવ્યો છે અને તે સંપૂર્ણપણે જાહેર વાતચીત પર આધારિત છે.












Click it and Unblock the Notifications
