'ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે..' જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સ પાર્ટીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે 23 માર્ચે ભગવાન રામને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભગવાન શ્રીરામને બધાના ભગવાન ગણાવતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તેમને અલ્લાહે લોકોને સાચો રસ્તો બતાવવા મોકલ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના જ નથી, તેઓ મુસ્લિમો અને ખ્રિસ્તીઓના ભગવાન છે. પરંતુ, ભાજપ સત્તામાં રહેવા માટે જ રામના નામનો ઉપયોગ કરે છે.

આ દરમિયાન ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનના એક વૃદ્ધ ધાર્મિક નેતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેણે કુરાન-એ-શરીફની સાથે એક તફસીલ લખી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં રહેલા ભગવાન રામને પણ અલ્લાહે લોકોને સાચો રસ્તો બતાવવા માટે મોકલ્યા છે. આ દરમિયાન બીજેપીનું નામ લીધા વિના અબ્દુલ્લાએ કહ્યું કે જે લોકો કહે છે કે અમે માત્ર રામના ભક્ત છીએ, તેઓ મૂર્ખ છે. તેઓ માત્ર રામને વેચવા માગે છે, તેમને તેમની સાથે કોઈ લગાવ નથી, તેઓ માત્ર સત્તા સાથે જોડાયેલા છે.
Farooq Abdullah said that Lord Rama was been sent by Allah to preach the people😅 He said, “You will see a lot of money will be invested like anything. People will be fed about Lord Rama again and again. It might happen that they will inaugurate the ‘Ram Mandir’ at the same time. pic.twitter.com/JNtsa0t5df
— Eagle Eye (@SortedEagle) March 23, 2023
આ દરમિયાન તેમણે કહ્યું કે મને લાગે છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે ત્યારે તેઓ સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. બિન-ભારતીય જનતા પાર્ટીઓ વચ્ચે એકતાના મુદ્દે ફારુક અબ્દુલ્લાએ કહ્યું, 'અમારી એકતામાં કોઈ અડચણ નહીં આવે. કોંગ્રેસ હોય, નેશનલ કોન્ફરન્સ હોય કે પેન્થર્સ પાર્ટી. અમે સામાન્ય લોકો માટે લડીશું અને મરીશું પણ અમે બધા એકજૂટ રહીશું.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
