'ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે..' જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સ પાર્ટીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે 23 માર્ચે ભગવાન રામને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભગવાન શ્રીરામને બધાના ભગવાન ગણાવતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તેમને અલ્લાહે લોકોને સાચો રસ્તો બતાવવા મોકલ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના જ નથી, તેઓ મુસ્લિમો અને ખ્રિસ્તીઓના ભગવાન છે. પરંતુ, ભાજપ સત્તામાં રહેવા માટે જ રામના નામનો ઉપયોગ કરે છે.

આ દરમિયાન ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનના એક વૃદ્ધ ધાર્મિક નેતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેણે કુરાન-એ-શરીફની સાથે એક તફસીલ લખી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં રહેલા ભગવાન રામને પણ અલ્લાહે લોકોને સાચો રસ્તો બતાવવા માટે મોકલ્યા છે. આ દરમિયાન બીજેપીનું નામ લીધા વિના અબ્દુલ્લાએ કહ્યું કે જે લોકો કહે છે કે અમે માત્ર રામના ભક્ત છીએ, તેઓ મૂર્ખ છે. તેઓ માત્ર રામને વેચવા માગે છે, તેમને તેમની સાથે કોઈ લગાવ નથી, તેઓ માત્ર સત્તા સાથે જોડાયેલા છે.
Farooq Abdullah said that Lord Rama was been sent by Allah to preach the people😅 He said, “You will see a lot of money will be invested like anything. People will be fed about Lord Rama again and again. It might happen that they will inaugurate the ‘Ram Mandir’ at the same time. pic.twitter.com/JNtsa0t5df
— Eagle Eye (@SortedEagle) March 23, 2023
આ દરમિયાન તેમણે કહ્યું કે મને લાગે છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે ત્યારે તેઓ સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. બિન-ભારતીય જનતા પાર્ટીઓ વચ્ચે એકતાના મુદ્દે ફારુક અબ્દુલ્લાએ કહ્યું, 'અમારી એકતામાં કોઈ અડચણ નહીં આવે. કોંગ્રેસ હોય, નેશનલ કોન્ફરન્સ હોય કે પેન્થર્સ પાર્ટી. અમે સામાન્ય લોકો માટે લડીશું અને મરીશું પણ અમે બધા એકજૂટ રહીશું.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
