'ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે..' જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સ પાર્ટીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ ગુરુવારે 23 માર્ચે ભગવાન રામને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભગવાન શ્રીરામને બધાના ભગવાન ગણાવતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તેમને અલ્લાહે લોકોને સાચો રસ્તો બતાવવા મોકલ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના જ નથી, તેઓ મુસ્લિમો અને ખ્રિસ્તીઓના ભગવાન છે. પરંતુ, ભાજપ સત્તામાં રહેવા માટે જ રામના નામનો ઉપયોગ કરે છે.

Farooq Abdullah

આ દરમિયાન ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનના એક વૃદ્ધ ધાર્મિક નેતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેણે કુરાન-એ-શરીફની સાથે એક તફસીલ લખી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં રહેલા ભગવાન રામને પણ અલ્લાહે લોકોને સાચો રસ્તો બતાવવા માટે મોકલ્યા છે. આ દરમિયાન બીજેપીનું નામ લીધા વિના અબ્દુલ્લાએ કહ્યું કે જે લોકો કહે છે કે અમે માત્ર રામના ભક્ત છીએ, તેઓ મૂર્ખ છે. તેઓ માત્ર રામને વેચવા માગે છે, તેમને તેમની સાથે કોઈ લગાવ નથી, તેઓ માત્ર સત્તા સાથે જોડાયેલા છે.

આ દરમિયાન તેમણે કહ્યું કે મને લાગે છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે ત્યારે તેઓ સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. બિન-ભારતીય જનતા પાર્ટીઓ વચ્ચે એકતાના મુદ્દે ફારુક અબ્દુલ્લાએ કહ્યું, 'અમારી એકતામાં કોઈ અડચણ નહીં આવે. કોંગ્રેસ હોય, નેશનલ કોન્ફરન્સ હોય કે પેન્થર્સ પાર્ટી. અમે સામાન્ય લોકો માટે લડીશું અને મરીશું પણ અમે બધા એકજૂટ રહીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X