મધ્ય પ્રદેશઃ કોવિડ-19 વેક્સીનથી વૉલંટિયરનુ મોત? પરિવારના આરોપ બાદ થયો હોબાળો
ભારતમાં કોરોના વાયરસ વેક્સીનના રસીકરણની તૈયારીઓ વચ્ચે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
નવી દિલ્લીઃ coronavirus vaccine: ભારતમાં કોરોના વાયરસ વેક્સીનના રસીકરણની તૈયારીઓ વચ્ચે મધ્ય પ્રદેશ((Madhya Pradesh)ની રાજધાની ભોપાલ(Bhopal)થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ભોપાલમાં 21 ડિસેમ્બર, 2020એ એક રોજમદાર મજૂર દીપક મરાવી (Deepak Maravi)નુ શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયુ. જણાવવામાં આવી રહ્યુ છે કે દીપક કોવિડ-19 વેક્સીન ટ્રાયલનો વૉલંટિયર હતો. પરિવારનો આરોપ છે કે દીપકનુ મોત કોરોના વાયરસની વેક્સીન (Covid-19 Vaccine)ના કારણે થયુ છે.

એનડીટીવીના રિપોર્ટ મુજબ 47 વર્ષીય દીપક મરાવીનુ મોત ગયા વર્ષે 21 ડિસેમ્બરે થયુ. તે ટીલા જમાલપુરા સ્થિત સૂબેદાર કોલોની સ્થિત પોતાના ઘરમાં મૃત મળી આવ્યો. પરિવારનો આરોપ છે કે કોવિડ-19 વેક્સીન ટ્રાયલમાં વૉલંટિયર હતો અને તેનુ મોત વેક્સીનના ડોઝના કારણે થયુ છે. પરિવારે એ પણ આરોપ લગાવ્યો કે દીપક મરાવીના કોવિડ-19 વેક્સીન વૉલંટિયર હોવા છતાં રાજ્ય સરકાર કે વેક્સીન નિર્માતા કંપની તરફથી કોઈ ફોલોઅપ કરવામાં આવ્યુ નહિ. આ ઉપરાંત પરિવારને પણ એ અંગેની માહિતી આપવામાં આવી નહોતી કે દીપક મરાવી કોવિડ-19 વેક્સીન વૉલંટિયર છે.
સમગ્ર કેસ પ્રકાશમાં આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. હવે પોલિસ પણ હરકતમાં આવી ગઈ છે. દીપક મરાવીનુ શંકાસ્પદ સ્થિતિમાં મોત અંગે પોલિસે તપાસ શરૂ કરી દીધી છે અને એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે દીપકને કંઈ કંપનીની વેક્સીન આપવામાં આવી હતી. જો કે દીપકનુ મોત કોરોના વાયરસ વેક્સીનથી થયુ છે કે કોઈ બીજા કારણ છે તેનો ખુલાસો પોસ્ટમોર્ટમનો ફાઈનલ રિપોર્ટ આવ્યા બાદ થશે. આ દરમિયાન પોલિસને મૃતક દીપકનો વિસરા રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
