Maha kumbh stampede 2025 : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે CM યોગીના રાજીનામાની માંગ કરી
Maha kumbh stampede 2025 : બદ્રીનાથ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગની ઘટનાને લઈને સીએમ યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી છે.
તેમણે આરોપ લગાવ્યો છે કે આ ઘટનાને 18 કલાક સુધી છુપાવી રાખવામાં આવી અને હજુ સુધી મૃત્યુના ચોક્કસ આંકડા જાહેર કરાયા નથી.

Avimukteswarananda on the Maha Kumbh stampede : 100 કરોડની વ્યવસ્થા છતાં 40 કરોડમાં અરાજકતા કેમ?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સરકારના દાવાઓ પર પ્રશ્ન ઉઠાવ્યો. મહાકુંભ પહેલા સરકારએ 100 કરોડ લોકો માટેની વ્યવસ્થા હોવાનો દાવો કર્યો હતો, જ્યારે મૌની અમાવસ્યાના દિવસે માત્ર 40 કરોડ લોકોની હાજરી હોવા છતાં પણ વ્યવસ્થાની નિષ્ફળતા કેમ સર્જાઈ?
18 કલાક સુધી મોટી ઘટનાને છુપાવવાની નારાજગી
શંકરાચાર્યે આક્ષેપ કર્યો કે, આટલી મોટી ઘટનાને 18 કલાક સુધી છુપાવવામાં આવી. મૃતકોની સંખ્યા અંગે સત્તાવાર માહિતી ન આપવામાં આવી રહી હોવાની પણ તેમણે ટીકા કરી.
CM યોગી સંત નથી, રાજીનામું આપે
શંકરાચાર્યે જણાવ્યું કે સીએમ યોગી સંત નથી, કારણ કે સંતો સત્ય છુપાવતા નથી. જો તેઓ ખરેખર સંત હોત તો આટલી મોટી દુર્ઘટનાને જાહેર કરીને જવાબદારી સ્વીકારી હોત. તેમણે માંગ કરી કે સીએમ યોગીએ પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને કોઈ સક્ષમ નેતાને સીએમ બનાવવો જોઈએ.
6 સ્થળોએ નાસભાગ અને મોતના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે
શંકરાચાર્યના જણાવ્યા અનુસાર, નાસભાગ એક-બે નહીં પરંતુ છ અલગ-અલગ સ્થળોએ સર્જાઈ. સત્તાવાર રીતે 30 લોકોના મૃત્યુની માહિતી આપવામાં આવી છે પરંતુ વાસ્તવમાં 49 લોકોના મોતની માહિતી સામે આવી છે.
સરકાર સીસીટીવી ફૂટેજ જાહેર કરે
શંકરાચાર્યએ માંગ કરી કે મહાકુંભમાં થયેલી નાસભાગની સત્ય ઘટના જાહેર કરવા માટે સરકાર સીસીટીવી ફૂટેજ રિલીઝ કરે. આ ઘટનાને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે અને સીએમ યોગીના રાજીનામાની માંગ વધતી જઈ રહી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
