મહારાષ્ટ્રના જલગાંવમાં ભીષણ માર્ગ અકસ્માત, 15 લોકોના મોત, ઘણા ઘાયલ
મહારાષ્ટ્રના જલગાંવમાં રવિવારની મોડી રાતે એક માર્ગ અકસ્માતમાં 15 લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત થઈ ગયા.
Maharashtra News: મુંબઈઃ મહારાષ્ટ્રના જલગાંવમાં રવિવારની મોડી રાતે એક માર્ગ અકસ્માતમાં 15 લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત થઈ ગયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ જણાવાઈ રહ્યા છે. સૂચના મળતાં જ પહોંચેલી પોલિસે શબોને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યા. વળી, ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. ઘાયલોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. પોલિસ સમગ્ર મામલાની આગળની કાર્યવાહી કરી રહી છે.
અનિયંત્રિત થઈને પલટી પપૈયા ભરેલી ટ્રક
આ દૂર્ઘટના જલગાંવના યાવલ પાસેની છે. માહિતી મુજબ ગઈ મોડી રાતે પપૈયાથી ભરેલી ટ્રક રાવેલ તરફથી જઈ રહી હતી. યાવલ પાસે પહોંચતા જ ટ્રક અનિયંત્રિત થઈ ગઈ અને પલટી ગઈ. દૂર્ઘટનામાં ટ્રક સવાર 15 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. બે જણ ગંભીર રીતે ઘાયલ જણાવાઈ રહ્યા છે. ઘટનાની સૂચના મેળવીને પહોંચેલી પોલિસે શબોને બહાર કાઢીને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા.
આજે પણ લોકોને રાહત નહિ, ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરના રેટ