મુશ્કેલીમાં મૂકાઈ મહાવિકાસ અઘાડી, શરદ પવારની NCPના નેતાઓએ આપ્યું સામુહિક રાજીનામુ
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો થોડા દિવસોમાં જાહેર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરવામાં જોડાઈ ગયા છે.
આ વચ્ચે મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વિપક્ષમાં રહેલી મહાવિકાસ અઘાડીની મુશ્કેલીમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ જૂથની શિવસેના ગઠબંધનમાં છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 પહેલા શરદ પવારની NCP (SP)ને મોટો ઝટકો લાગ્યો છે.
શરદ પવારની એનસીપીના ઘણા નારાજ અધિકારીઓએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. અમરાવતી જિલ્લા પ્રમુખ પ્રદીપ રાઉતના રાજીનામાથી અધિકારીઓમાં બળવો શરૂ થયો હોવાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદીપ રાઉતને જિલ્લા અધ્યક્ષ પદેથી હટાવીને પ્રદેશ સંગઠન સચિવની નવી ભૂમિકા આપવામાં આવી હતી.
આ અંગે નારાજગી વ્યક્ત કરતા પ્રદીપ રાઉતે જણાવ્યું હતું કે, મને વિશ્વાસમાં લીધા વિના જ મને જિલ્લા પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન શરદ પવાર જૂથના અમરાવતીના NCP જિલ્લા અધ્યક્ષ પ્રદીપ રાઉતને અમરાવતી અને વર્ધા બંને લોકસભા સીટ પર મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી.
બંને વિસ્તારોમાં મહાવિકાસ અઘાડીના સાંસદો ચૂંટાયા હતા. આમ છતાં પ્રદીપ રાઉતને પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છે, જેના કારણે અમરાવતીમાં પાર્ટીના ઘણા અધિકારીઓ અને નેતાઓએ બળવો શરૂ કરી દીધો છે.












Click it and Unblock the Notifications
