Maharashtra Earthquake: લાતૂરના વિનાશકારી ભૂકંપમાં 10000 લોકોના થયા હતા મોત
Maharashtra Earthquake: 10 જુલાઈના રોજ મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. ગભરાયેલા લોકો તરત જ ઘરની બહાર નીકળી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, 31 વર્ષ પહેલાં રાજ્યના લાતુર જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપની લોકો માટે વરસાદની વચ્ચે ધ્રૂજતી ધરતીએ દર્દનાક યાદો તાજી કરી હતી.
આ ભૂકંપને ભારતીય સિસ્મોલોજીના ઈતિહાસમાં મહત્વની ઘટના માનવામાં આવે છે. આ ભૂકંપે માત્ર લોકોના જીવનને જ અસર કરી નથી, પરંતુ વૈજ્ઞાનિકોમાં પણ ઊંડી છાપ છોડી છે. આ ભૂકંપમાં લગભગ 10 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.
આ ઘટના 30 સપ્ટેમ્બર, 1993નો છે. મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં વિનાશક ભૂકંપ આવ્યો અને સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. આ ભૂકંપને ભારતીય ઉપમહાદ્વીપના સૌથી ભયંકર ભૂકંપોમાંનો એક ગણવામાં આવે છે.
આ ભૂકંપના કારણે માત્ર જાન-માલનું જ મોટું નુકસાન થયું નથી, પરંતુ તેનાથી સંબંધિત વૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિકોણમાં પણ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે.

લાતુર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ કિલારી ગામ નજીક હતું, જે લાતુર જિલ્લામાં આવેલું છે.
ભૂકંપ સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ આવ્યો હતો, જ્યારે મોટાભાગના લોકો તેમના ઘરમાં સૂતા હતા. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોને બહાર આવવાની તક મળી ન હતી અને ઘણા મકાનો ધરાશાયી થયા હતા.
10 હજાર લોકો મૃત્યુ પામ્યા - સરકારી આંકડાઓ અનુસાર આ ભૂકંપમાં લગભગ 10,000 લોકોના મોત થયા હતા. વધુમાં, હજારો લોકો ઘાયલ થયા હતા અને લાખો લોકો બેઘર થયા હતા.
લાતુર અને ઉસ્માનાબાદ જિલ્લાના ઘણા ગામો સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા. મકાનો, રસ્તાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું હતું. ભૂકંપના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને તિરાડો પણ જોવા મળી હતી, જેના કારણે રાહત કામગીરી વધુ મુશ્કેલ બની હતી.
મહારાષ્ટ્ર ક્યારે ભૂકંપનો શિકાર બન્યું?
કોયનાનગર ધરતીકંપ (1967) : 11 ડિસેમ્બર 1967ના રોજ કોયનાનગર વિસ્તારમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લગભગ 200 લોકો માર્યા ગયા અને ઘણા ઘરોને નુકસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપ રાત્રે આવ્યો, જ્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર કોયના ડેમની નજીક હતું, જે તે સમયે તેની બાંધકામ પ્રક્રિયામાં હતો.
કિલારી ભૂકંપ (1993) : 30 સપ્ટેમ્બર 1993ના રોજ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના કિલારી ગામમાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપમાં લગભગ 10,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને હજારો લોકો બેઘર થયા હતા. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આ સૌથી વિનાશકારી ભૂકંપ માનવામાં આવે છે.
નાશિક ભૂકંપ (2001) : નાસિક જિલ્લામાં 23 મે 2001ના રોજ 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ કેટલાક મકાનો અને ઈમારતોને નુકસાન થયું હતું.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
