For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર: આવતીકાલે એકનાથ શિંદે કેબિનેટનુ વિસ્તરણ, રાજભવન ખાતે યોજાશે કાર્યક્રમ: સુત્ર

એક મહિનાથી વધુ સમય પસાર કર્યા બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એકનાથ કેબિનેટનું વિસ્તરણ મંગળવારે (09 ઓગસ્ટ) સવારે 11 વાગ્યે મહારાષ્ટ્ર રાજ

|
Google Oneindia Gujarati News

એક મહિનાથી વધુ સમય પસાર કર્યા બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એકનાથ કેબિનેટનું વિસ્તરણ મંગળવારે (09 ઓગસ્ટ) સવારે 11 વાગ્યે મહારાષ્ટ્ર રાજભવનમાં થઈ શકે છે. સમાચાર મુજબ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ વિભાગનો પાસ મળવાની આશા છે. સાથે જ કેબિનેટમાં ઓછામાં ઓછા 15 મંત્રીઓને સામેલ કરી શકાય છે.

શિંદે કેબિનેટનું વિસ્તરણ કરાશે

શિંદે કેબિનેટનું વિસ્તરણ કરાશે

અંદરથી મળતા અહેવાલો અનુસાર મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ શિંદે કેબિનેટનો ભાગ બનવા જઈ રહ્યા છે. વાસ્તવમાં, મહાવિકાસ અઘાડી ગઠબંધન અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે સામે મોરચો ખોલ્યા પછી, શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ ભાજપ સાથે ગઠબંધનમાં પાર્ટીના ધારાસભ્યોને સાથે લઈને મહારાષ્ટ્રમાં સત્તા બદલી. આવી સ્થિતિમાં હવે સીએમ પદના શપથ લીધાના લગભગ એક મહિના બાદ હવે મહારાષ્ટ્રની શિંદે સરકાર તેના કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહી છે.

વિપક્ષે શિંદે સરકાર પર નિશાન સાધ્યું

30 જૂનના રોજ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આવી સ્થિતિમાં બંને મંત્રીઓ બે સભ્યોની કેબિનેટ તરીકે કામ કરી રહ્યા છે. વિપક્ષના નેતા અજિત પવાર સહિત અનેક વિપક્ષી દળો કેબિનેટનું વિસ્તરણ ન કરવાને લઈને સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. એનસીપી નેતા અજિત પવારે શનિવારે કહ્યું હતું કે એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકાર જ્યાં સુધી દિલ્હીથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી કેબિનેટનું વિસ્તરણ નહીં કરી શકે.

ફડણવીસે કહી આ વાત

ફડણવીસે કહી આ વાત

રવિવારે મીડિયા સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે અજિત પવાર વિપક્ષના નેતા છે. તેમને આવી વાતો કહેવાની છે. અજિત દાદા સરળતાથી ભૂલી જાય છે કે તેઓ જ્યારે સરકારમાં હતા ત્યારે શરૂઆતના 32 દિવસમાં માત્ર પાંચ મંત્રી હતા.

English summary
Maharashtra: Eknath Shinde cabinet expansion program to be held at Raj Bhavan tomorrow: Source
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X