Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પોતાના અને વિરોધી વચ્ચે ફસાઈ ગઈ? જાણો કેવી રીતે?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહા વિકાસ અઘાડીમાં વિવાદના અહેવાલો આવી રહ્યાં છે.
જાણકારોનું માનીએ તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ માટે સ્થિતી થોડી કપરી છે. લોકસભામાં શાનદાર પ્રદર્શન બાદ પણ અહીં કોંગ્રેસ પોતાના અને વિરોધીઓ વચ્ચે ઘેરાઈ ગઈ છે.

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટોમાંથી 36 બેઠકો મુંબઈમાં છે. નોમિનેશન સમયમર્યાદા પૂરી થવા જઈ રહી છે પરંતુ કોંગ્રેસ સંઘર્ષનો સામનો કરી રહી છે.
અહીં એક તરફ પાર્ટીએ સાથી પક્ષ શિવસેના (UTB)ની સામે સીટો માટે લડવું પડે છે તો બીજી તરફ ટિકિટની વહેંચણીને લઈને પાર્ટીમાં હંગામો છે. આવી જ સ્થિતીએ કોંગ્રેસને હરિયાણા હરાવ્યુ છે.
અહેવાલો અનુસાર, કોંગ્રેસ સાંસદ અને પાર્ટીના મુંબઈ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પાસેથી મુંબઈમાં 18 બેઠકો માંગી હતી.
પાર્ટીનો આ દાવો લોકસભા ચૂંટણી પર આધારિત હતો, જેમાં પાર્ટીએ છમાંથી બે ચૂંટણી લડી હતી અને એકમાં જીત મેળવી હતી.
જો કે ઉદ્ધવ ઠારકેની શિવસેના સામે કોંગ્રેસ દબાણ હેઠળ હોય તેવું લાગે છે કે તેણે માત્ર 9 બેઠકો પર જ તેના ઉમેદવારો જાહેર કર્યા છે અને ખૂબ સારા સંયોગ સાથે તેને વધુ એક બેઠક પણ શકે છે. આ સ્થિતિમાં પક્ષના નેતાઓમાં ગભરાટ સર્જાયો છે.
હાલની સ્થિતીએ ઓછી બેઠકો અને દાવેદારો વધુ છે, જેના કારણે ટિકિટની વહેંચણીમાં પક્ષપાતના આક્ષેપો થઈ રહ્યા છે. જો કે વર્ષા ગાયકવાડે આવા દાવાઓને નકારી કાઢ્યા છે, પરંતુ એવો પણ આક્ષેપ કર્યો છે કે નિશ્ચિત તત્વો અફવા ફેલાવી રહ્યા છે.
મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષની બહેનને ટિકિટ
ટિકિટની વહેંચણીથી નારાજ નેતાઓનો દાવો છે કે એક તરફ પાર્ટી નેતૃત્વના સહયોગી તરફથી સન્માનજનક બેઠકો મેળવવામાં નિષ્ફળ રહી છે અને જે પણ બેઠકો ખાતામાં આવી છે તે મુઠ્ઠીભર નેતાઓ અને તેમના સંબંધીઓને આપી દેવાઈ છે.
પક્ષમાં ભારે વિરોધ છતાં વર્ષા ગાયકવાડની બહેન જ્યોતિને ધારાવી બેઠક પરથી ટિકિટ મળી છે. હરિયાણામાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર પણ તેમની પસંદના લોકોને ટિકિટ આપવાનો આરોપ છે.
આ પહેલા કોંગ્રેસે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે ઉદ્ધવ કોંગ્રેસ માટે વર્સોવા, બાંદ્રા પૂર્વ અને ભાયખલા સીટો છોડવા ગઠબંધન સંમત થાય. પરંતુ, શિવસેના (UBT) હટવા તૈયાર ન હતી.
સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના ધારાસભ્ય વર્સોવાથી તેમના જમાઈને ટિકિટ અપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે તેમને સમજાયું કે આ મુશ્કેલ છે ત્યારે તેમણે પાર્ટી નેતૃત્વને આ બેઠક પર પોતાનો દાવો છોડી દેવા રાજી કર્યા.
આ સિવાય પાર્ટીના કેટલાક ઉમેદવારો એવા છે જેમને ચૂંટણી લડવાની તક આપવામાં આવે અને પસંદગીની સીટ ન મળે તો સીટ છોડવા તૈયાર છે.
સચિન સાવંતને અંધેરી વેસ્ટમાંથી ટિકિટ મળી હતી. પરંતુ તેણે નિવેદન જારી કરીને કહ્યું કે, મેં બાંદ્રા પૂર્વથી ટિકિટ માંગી હતી. પરંતુ સીટની વહેંચણીમાં તે અમારા સહયોગી પક્ષમાં ગયું છે. અંધેરી વેસ્ટ માટે મને ચૂંટવા બદલ હું પાર્ટી નેતૃત્વનો આભાર માનું છું. પરંતુ મેં નેતૃત્વને તેનો નિર્ણય બદલવા વિનંતી કરી છે.
આ તમામ પાસાઓ ચૂંટણીમાં કોંગ્રેસને મોટા ટ્રબલનો સામનો કરાવી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે પાર્ટી આ તમામ બાબતોને નીપટીને કેવી રીતે જીતે છે?












Click it and Unblock the Notifications
