For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ વિરારની કોવિડ વિજય વલ્લભ હોસ્પિટલના ICUમાં લાગી આગ, 13 લોકોના મોત

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે એક કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 13 લોકોના મોત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે એક કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 13 લોકોના મોત થઈ ગયા છે. મુંબઈ પાસે વિરાર વિસ્તારમાં વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં આગ લાગી છે. રિપોર્ટ મુજબ આગ લાગવાથી 13 લોકોના મોત થઈ ગયા છે. ન્યૂઝ એજન્સી એએનએઆઈએ સૂચના આપી છે કે પાલઘર જિલ્લાની એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી ગઈ છે જેમાં 13 લોકોના મોત થઈ ગયા છે. ઘાયલ દર્દીઓને નજીકની હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. 13 લોકોના આગમાં સળગી જવાના કારણે મોત થઈ ગયા.
માનવામાં આવી રહ્યુ છે કે એસીમાં શૉર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગ હોસ્પિટલના સેકન્ડ ફ્લોર પર શુક્રવારે(23 એપ્રિલ) સવારે 3 વાગે લાગી હતી.

fire

વસઈ વિરાર નગર નિગમ કોરોના કંટ્રોલ રૂમે આ અંગે પુષ્ટિ કરી છે કે વિરાર વિસ્તારમાં વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં આગ લાગી ગઈ છે જેમાં 13 દર્દીઓના મોત થઈ ગયા છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઉપરાંત પોલિસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ઓલવવાની કોશિશ ચાલુ છે.

'ફ્રી વેક્સીન આપવાની જવાબદારીમાંથી ભાગી રહી છે સરકાર''ફ્રી વેક્સીન આપવાની જવાબદારીમાંથી ભાગી રહી છે સરકાર'

English summary
Maharashtra: Fire broke out in covid hospital, 13 patients lost their lives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X