For Daily Alerts
મહારાષ્ટ્ર સરકારે બંધ કરી ઈમરજન્સી સમયના કેદીઓની પેન્શન યોજના
મહારાષ્ટ્ર સરકારે વર્ષ 1975-77 દરમિયાન દેશમાં લાગુ ઈમરજન્સીના સમયના કેદીઓને અપાતી પેન્શન યોજના બંધ કરી દીધી.
મહારાષ્ટ્ર સરકારે વર્ષ 1975-77 દરમિયાન દેશમાં લાગુ ઈમરજન્સીના સમયના કેદીઓને અપાતી પેન્શન યોજના બંધ કરી દીધી. આ પેન્શન યોજના એ દરમિયાન આંતરિક સુરક્ષા વ્યવસ્થા અધિનિયમ(મીસા) હેઠળ પકડાયેલ લોકો સાથે સંંબંધિત હતી. જુલાઈ 2018માં લાગુ કરવામાં આવેલી આ પેન્શન યોજના પર રાજ્ય સરકાર 41 કરોડ રૂપિયા વાર્ષિક ખર્ચ કરી રહી હતી. આ યોજનાને તત્કાલિન ભાજપ શાસનકાળમાં લાગુ કરવામાં આવી હતી.
એક સરકારી સંકલ્પ (જીઆર)માં શુક્રવારે કહેવામાં આવ્યુ કે આ યોજનાને કોવિડ-19 મહામારીના કારણે પેદા થયેલ આર્થિક સંકટના કારણે અનુચિત ખર્ચ પર અંકુશ લગાવવા માટે બંધ કરવામાં આવી રહી છે. લાભાર્થીઓને પેન્શન તરીકે પ્રતિ માસ 10,000 રૂપિયા મળી રહ્યા હતા.
આંધ્ર પ્રદેશઃ હિંદુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં દર્દનાક અકસ્માત, ક્રેન પડવાથી 10ના મોત
Comments
English summary
Maharashtra Government Government discontinue pensions for the people who were jailed during the emergency period.
Story first published: Saturday, August 1, 2020, 15:44 [IST]