Maharashtra Political Crisis : આજે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે, બળવાખોર MLA પરત ફર્યા
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, આ દરમિયાન શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરત, ત્યારબાદ ગુવાહાટી અને ગોવામાં રોકાઇને હવે આખરે મુંબઈ પરત ફર્યા છે.
Maharashtra Political Crisis : મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, આ દરમિયાન શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરત, ત્યારબાદ ગુવાહાટી અને ગોવામાં રોકાઇને હવે આખરે મુંબઈ પરત ફર્યા છે. આ તમામ બળવાખોર ધારાસભ્યો શનિવારના રોજ મુંબઈ પહોંચ્યા હતા.

ગયા વર્ષથી ગૃહમાં સ્પીકરનું પદ ખાલી છે
મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે, જે દરમિયાન વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે અનેનવી સરકારનો ફ્લોર ટેસ્ટ યોજાશે.
NCPના વડા શરદ પવારે દાવો કર્યો છે કે, નરહરિ જીરવાલ હજૂ પણ ડેપ્યુટી સ્પીકરની ભૂમિકા ભજવીશકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષથી ગૃહમાં સ્પીકરનું પદ ખાલી છે.

શિંદેને 50 ધારાસભ્યોનું સમર્થન
આ પહેલા શનિવારના રોજ પહેલીવાર ભાજપમાંથી ધારાસભ્ય બનેલા રાહુલ નાર્વેકરે પણ ઉમેદવારી નોંધાવી છે. એકનાથ શિંદેની સરકારનોફ્લોર ટેસ્ટ 4 જુલાઈના રોજ છે.
એવો દાવો કરવામાં આવે છે કે, શિંદેને 50 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાંથી 39 શિવસેના ધારાસભ્યો છે
જ્યારે 11 ધારાસભ્યો અપક્ષ છે.

મુંબઈમાં આજે સુરક્ષા વધારી દેવામાં આવી
ઉલ્લેખનીય છે કે, આ તમામ બળવાખોર ધારાસભ્યો ગોવાના ડોના પૌલા સ્થિત હોટલમાં રોકાયા હતા. મુંબઈ પહોંચ્યા બાદ આ ધારાસભ્યોહોટલમાં રોકાયા છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુંબઈમાં આજે સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો અહેવાલો પર વિશ્વાસકરવામાં આવે તો શિવસેનાના કાર્યકરો રસ્તા પર ઉતરી શકે છે.

ભારતીય જનતા પાર્ટી પાસે 105 ધારાસભ્યો
ટીમ શિંદે વિશે વાત કરતાં તેઓ દાવો કરે છે કે, તેમની પાસે શિવસેનાના 38 ધારાસભ્યો, 9 અપક્ષ ધારાસભ્યો અને અન્ય બે પક્ષોનાધારાસભ્યો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી પાસે 105 ધારાસભ્યો છે. તેથી શિંદે સરકાર પાસે અગાઉનો બહુમતીનો આંકડો છે.

ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જાહેર કરાયો
રાહુલ નાર્વેકર મુંબઈના કોલાબાથી ભાજપના નવા ધારાસભ્ય બન્યા છે, તેમને પાર્ટી દ્વારા સ્પીકર પદ માટે પ્રમોટ કરવામાં આવ્યા છે.તેમની સામે મહાગઠબંધને રાજન સાલ્વીને મેદાનમાં ઉતાર્યા છે. ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
