Maharashtra Political Crisis : બળવાખોર ધારાસભ્યોને એરપોર્ટની બહાર નહીં નીકળવા દઇએ, ઉદ્ધવ સરકારના મંત્રીની ધમકી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ સતત વધી રહી છે અને આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રી સુભાષ દેસાઈએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ખુલ્લી ધમકીઓ આપી છે.
Maharashtra Political Crisis : મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ સતત વધી રહી છે અને આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રી સુભાષ દેસાઈએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ખુલ્લી ધમકીઓ આપી છે. કેબિનેટ મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈએ જણાવ્યું હતું કે, જો બળવાખોર ધારાસભ્યો મુંબઈ એરપોર્ટ પર આવશે, તો તેઓ ત્યાંથી બહાર નીકળી શકશે નહીં.

અડધા ધારાસભ્યો શિવસેના ભવનમાં જશે
ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રી સુભાષ દેસાઈએ જણાવ્યું હતું કે, જે દિવસે તેઓ મુંબઈ આવશે, તેમાંથી અડધાથી વધુ લોકો સીધા શિવસેનાભવન જશે. બાકીના અડધા ધારાસભ્યોને એરપોર્ટની બહાર જવા દેવામાં આવશે નહીં.
— Sanjay Raut (@rautsanjay61) June 28, 2022 |
સુભાષ દેસાઈએ આપી ખુલ્લી ધમકી
સુભાષ દેસાઈએ બળવાખોર ધારાસભ્યોને ધમકી આપતા જણાવ્યું હતું કે, શિવસેના એટલુ વિશાળ સંગઠન છે કે, અમે એરપોર્ટને 24 કલાક,48 કલાક, 72 કલાક કે તમે કહો ત્યાં સુધી ઘેરી રાખી શકીએ છીએ. જો છત્રપતિ શિવાજીની તલવાર દુશ્મનોને ડરાવે છે, તો એકનાથ શિંદેઅને અન્ય બળવાખોર ધારાસભ્યો મુંબઈ આવતા ડરશે નહીં તો બીજું શું કરશે.
|
બળવાખોર ધારાસભ્યોએ 11 જુલાઈ સુધી આરામ કરવો જોઈએ
આ દરમિયાન શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું નિવેદન પણ આવ્યું છે અને તેમણે બળવાખોર ધારાસભ્યોનેઆરામ કરવાની સલાહ આપી છે.
તેમણે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ 11 જુલાઈ સુધી આરામ કરવો જોઈએ. મહારાષ્ટ્રમાં તેમની પાસેકોઈ કામ નથી. આ પહેલા તેમણે ટ્વીટ કરીને બળવાખોર ધારાસભ્યો પર નિશાન સાધ્યું હતું અને ટ્વિટર પર લખ્યું હતું કે, 'જહલત એકપ્રકારનું મોત છે. ગોથ લોકો લાશો ખસેડી રહ્યા છે.
|
ભાજપે શિવસેનાને ટોણો માર્યો
મહારાષ્ટ્ર સરકારમાં બળવાને લઈને ભાજપના નેતા રામ કદમે શિવસેનાને ટોણો માર્યો છે. તેમણે ટ્વીટ કર્યું હતું, 'જેઓએ હનુમાનચાલીસાને નકારી હતી. તેમને તેમના જ ચાલીસ ધારાસભ્યોએ પાર્ટી છોડીને ચાલતી પકડી છે. શું આને દૈવી શિક્ષા કહી શકાય?'

દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપની મોટી બેઠક
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મંગળવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભારતીય જનતા પાર્ટીનામોટા નેતાઓની બેઠક છે. આ બેઠકમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને સતર્કરહેવા જણાવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
