કેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી વિજય વડેટ્ટીવારે ગુરુવારે આપેલા એક નિવેદનમાં કહ્યુ છે કે રાજ્ય સરકારે પાસે પોતાના સરકારી કર્મચારીઓને વેતન આપવા માટે પૈસા નથી.
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી વિજય વડેટ્ટીવારે ગુરુવારે આપેલા એક નિવેદનમાં કહ્યુ છે કે રાજ્ય સરકારે પાસે પોતાના સરકારી કર્મચારીઓને વેતન આપવા માટે પૈસા નથી. વડેટ્ટીવારે કહ્યુ કે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રને અત્યાર સુધી કેન્દ્ર પાસેથી કોઈ ફંડ નથી મળ્યુ. મંત્રીએ કરેલા બે ટ્વિટથી કેન્દ્ર પર આ નિશાન સાધ્યુ.
સરકાર પાસે પૈસા નથી
મંત્રી વિજય વડેટ્ટીવારે કહ્યુ કે સરકાર પાસે પૈસા નથી અને આવી સ્થિતિ તેને આવતા મહિનાની સેલેરી આપવા માટે ઋણ લેવુ પડશે અને જો કોઈ નેતા કહેતા હોય કે અમને ફંડ મળ્યુ છે તો તે રાજ્ય સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. મંત્રી મુજબ મહારાષ્ટ્રમાં આ સ્થિતિ કોવિડ-19 મહામારીના કારણે ઉત્પન્ન થઈ છે.
|
રાજ્યમાં કોરોનાની સ્થિતિને સંભાલવા માટે કેશનુ સંકટ નથીઃ મંત્રી
જો કે સાથે જ તેમણે એ પણ કહ્યુ કે રાજ્યમાં કોરોનાની સ્થિતિને સંભાળવા માટે કેશનુ સંકટ નથી. તેમણે આગળ જણાવ્યુ કે મહારાષ્ટ્ર સરકારના ત્રણથી ચાર વિભાગોને છોડીને અન્ય વિભાગોમાં ખર્ચોમાં ઘટાડો કર્યો છે. મંત્રી મુજબ રાજ્યની આ સ્થિતિ કોરોના વાયરસ મહામારીના કારણે થઈ છે.
ભારતનુ સર્વાધિક કોરોના પ્રભાવિત રાજ્ય છે મહારાષ્ટ્ર, 8000થી વધુ મોત
મહારાષ્ટ્ર ભારતનુ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે જયાં અત્યાર સુધી 180298 કેસ આવી ચૂક્યા છે અને 8000થી વધુ લોકોનુ મોત થઈ ચૂક્યુ છે. 1 જુલાઈથી દેશમાં અનલૉક-2 લાગુ થઈ ચૂક્યુ છે પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યાથી સુધારો નથી થઈ રહ્યુ જેનાથી રાજ્ય સરકારે લૉકડાઉનને 31 જુલાઈ સુધી લંબાવી દીધુ છે.
શ્વેતા તિવારી પર અભિનવ કોહલીનો ખુલાસોઃ નોકરની જેમ રાખે છે, હું રોતો રહ્યો પોલિસ સ્ટેશનમાં