શરદ પવારને મળ્યા વગર જ બંગાળ રવાના થયા મમતા બેનર્જી, દર 2 મહિને દિલ્હી આવતી રહીશ-મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો દિલ્હી પ્રવાસ આજે સમાપ્ત થયો છે. મમતા બેનર્જી પાંચ દિવસના પ્રવાસે દિલ્હી આવ્યા હતા અને શુક્રવારે શરદ પવાર સાથે ફોન કરીને અને વિપક્ષના નેતાઓને મળ્યા બાદ બંગાળ પરત ફર્યા હતા.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો દિલ્હી પ્રવાસ આજે સમાપ્ત થયો છે. મમતા બેનર્જી પાંચ દિવસના પ્રવાસે દિલ્હી આવ્યા હતા અને શુક્રવારે શરદ પવાર સાથે ફોન કરીને અને વિપક્ષના નેતાઓને મળ્યા બાદ બંગાળ પરત ફર્યા હતા. પશ્ચિમ બંગાળ જતા પહેલા મમતા બેનર્જીએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે તેમની દિલ્હીની મુલાકાત સફળ રહી છે. ખાસ કરીને સોનિયા ગાંધી સાથેની મુલાકાત અને શરદ પવાર સાથેની વાતચીત સારી રહી. મમતા બેનર્જીએ કહ્યું કે, વિપક્ષી નેતાઓ સાથે તેમની વાટાઘાટો કોઈપણ કિંમતે લોકશાહી બચાવવા અંગે હતી. શરદ પવાર સાથે વાત કરવા પર મમતા બેનર્જીએ કહ્યું, "મેં શરદ પવાર સાથે વાત કરી હતી. મારી દિલ્હી મુલાકાત સફળ રહી. અમે રાજકીય હેતુઓ માટે મળ્યા હતા. દેશની લોકશાહીને કોઈપણ કિંમતે જીવંત રાખવી એ અમારો ઉદ્દેશ છે. અમારું સૂત્ર છે 'લોકશાહી બચાવો, દેશ બચાવો '.
મમતા બેનર્જી દર બે મહિને દિલ્હી આવતા રહેશે
ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીનું નિવાસ સ્થાન છોડતા પહેલા મીડિયા સાથે વાતચીત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે તે, તેમનું દિલ્હી આવવાનું ચાલુ રહેશે. મમતાએ કહ્યું કે તે દર બે મહિને દિલ્હીની મુલાકાત લેશે. તે છેલ્લા પાંચ દિવસથી દિલ્હીમાં છે અને આ સમય દરમિયાન તે ઘણા વિપક્ષી નેતાઓને મળ્યા અને તે બેઠકોનું પરિણામ ઘણું સારું આવ્યું. જો કે, આ સમય દરમિયાન મમતા બેનર્જીને 2024 વિશે પૂછવામાં આવ્યું હતું, તેમણે 2024 માં વિપક્ષનો ચહેરો હોવાની સંભાવનાને નકારી હતી. મમતા બેનર્જીએ કહ્યું કે જે પણ થશે તે દરેકની સંમતિથી થશે.
મોંધવારી મુદ્દે મમતાએ કેન્દ્ર પર નિશાન સાધ્યું
આ દરમિયાન મમતા બેનર્જીએ દેશમાં મોંઘવારીના મુદ્દાનો ઉલ્લેખ કરતા કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમય દેશના લોકો માટે ખૂબ જ પડકારજનક છે, કારણ કે પેટ્રોલ અને ઘરેલુ ગેસના ભાવમાં વધારા સાથે ફુગાવો ઓલટાઇમ હાઇ છે. આ દરમિયાન મમતા બેનર્જીએ કેન્દ્રને કોરોનાની ત્રીજી લહેર અંગે ચેતવણી આપી હતી.
મમતા બેનર્જી દિલ્હીમાં આ નેતાઓને મળ્યા
મમતા બેનર્જી સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ નેતા નીતિન ગડકરીને પણ મળ્યા હતા. આ ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને કમલનાથ સહિત ઘણા વિપક્ષી નેતાઓને પણ મળ્યા હતા. સોનિયા ગાંધી સાથેની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. આ બેઠક અંગે મમતાએ એમ પણ કહ્યું હતું કે સોનિયા ગાંધી સાથેની તેમની મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી છે.