મમતા બેનર્જીને મોટો ઝટકો, TMC નો રાષ્ટ્રિય પાર્ટીનો દરજ્જો છીનવાયો, આમ આદમી પાર્ટી રાષ્ટ્રિય પાર્ટી બની
નવી દિલ્હી : આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી છે ત્યારે હવે ઈલેક્શન કમિશનને આમ આદમી પાર્ટીને રાષ્ટ્રિય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. બીજી તરફ ઈલેક્શન કમિશને તૃણમુલ કોંગ્રેસ, એનસીપી અને સીપીઆઈને મોટો ઝટકો આપતા રાષ્ટ્રિય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો છે. હવે મમતાને 2024માં મોટી સમસ્યાઓ નડી શકે છે.

ઈલેક્શન કમિશનના નિર્ણય બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો. કેન્દ્રીય ચૂંટણી પંચના આ નિર્ણયને મમતા બેનર્જી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ સિવાય ચૂંટણી પંચે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટનો રાષ્ટ્રીય દરજ્જો પણ પાછો ખેંચવાની જાહેરાત કરી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા પંચના આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ પાર્ટીઓના રાષ્ટ્રીય દરજ્જાને લઈને આમ આદમી પાર્ટી એ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી અને ECને રાષ્ટ્રીય દરજ્જો આપવાનો નિર્દેશ આપવા આદેશ કરવા અપીલ કરી હતી. AAPની અરજી પર નિર્ણય પહેલા સોમવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ પછી કેજરીવાલની પાર્ટી ભારતની પાંચમી રાષ્ટ્રીય પાર્ટી બની.
AAP ઉપરાંત ભાજપ, કોંગ્રેસ, CPM અને BSP રાષ્ટ્રીય પક્ષો છે. અન્ય ઘણા પક્ષોની સ્થિતિ પણ બદલાઈ ગઈ છે. પંચે માહિતી આપી હતી કે ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળનો રાજ્ય પક્ષનો દરજ્જો પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી પશ્ચિમ બંગાળમાં રાજ્ય પક્ષ તરીકે માન્યતા આપી છે. આ સિવાય મેઘાલયમાં વોઈસ ઑફ ધ પીપલ પાર્ટીને રાજ્ય પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
