જેએનયુ છાત્ર ઉમર ખાલિદ પર હુમલાખોરે ગોળી મારી કર્યો જાનલેવા હુમલો
દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં સોમવારે બપોરે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયન્ પીએચડી સ્કોલર ઉમર ખાલિદ પર અજ્ઞાત હુમલાખોરે ગોળી ચલાવી દીધી.
દિલ્હીના કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં સોમવારે બપોરે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયન્ પીએચડી સ્કોલર ઉમર ખાલિદ પર અજ્ઞાત હુમલાખોરે ગોળી ચલાવી દીધી. જો કે ગોળી ખાલિદને નહિ અને તે બચી ગયો. પોલિસે ઘટના સ્થળેથી એક પિસ્તોલ કબ્જે લીધી છે. ખાલિદ સોમવારે કોન્સ્ટીટ્યુશનલ ક્લબમાં એક કાર્યક્રમમાં શામેલ થવા માટે પહોંચ્યા હતા.

ઉમરને ધક્કો મારીને નીચે પાડી દીધો
કોન્સ્ટીટ્યુશનલ ક્લબ પાસે હાજર એક વ્યક્તિએ જણાવ્યુ કે અહીં એક કાર્યક્રમ હતો જેમાં શામેલ થવા માટે ઉમર આવ્યા હતા. નજીકમાં જ એક ચા ની કીટલી પાસે જ્યારે આ લોકો ઉભા હતા ત્યારે સફેદ શર્ટ પહેરીને આવેલા એક વ્યક્તિએ ઉમરને ધક્કો મારીને નીચે પાડી દીધો અને તેના પર ગોળી ચલાવી.

હાથમાંથી પિસ્તોલ છૂટી ગઈ અને તે ભાગી ગયો
ગોળી ચલાવતી વખતે તેના હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ ત્યારબાદ તે ભાગી ગયો. ડીસીપી મધુર વર્મા અને જોઈન્ટ સીપી અજય ચૌધરીએ કહ્યુ છે કે અજ્ઞાત હુમલખોરે ઉમર પર હુમલો કર્યો પરંતુ તેની હાથમાંથી પિસ્તોલ છૂટી ગઈ અને તે ભાગી ગયો. પોલિસ મામલાની તપાસ કરી રહી છે.

પોલિસે ઉમરને સુરક્ષામાં લીધો
નજરે જોનારા લોકોના જણાવ્યા અનુસાર ત્યાં હાજર લોકોએ તેને પકડવાની કોશિશ કરી પરંતુ તે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો. ઘટના સ્થળે પહોંચીને પોલિસે ઉમરને સુરક્ષામાં લીધો અને હુમલાખોરની પિસ્તોલ પોતાના કબ્જામાં કરી. પોલિસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઉમર ખાલિદે હાલમાં જ જેએનયુમાંથી પીએચડી પૂરી કરી છે. તે ભાજપ અને દક્ષિણંપથી સંગઠનોનો સતત વિરોધ કરતો રહે છે. તમને જણાવી દઈએ કે કોન્સ્ટીટ્યુશનલ ક્લબ સંસદ ભવનથી માત્ર 500 મીટરના અંતરે છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
