મણિપુરમાં ભીડનો મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર હુમલો, જાણો હાલ શું છે સ્થિતી?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને મણિપુરની બીજેપીની સરકારના ભેદી મૌન વચ્ચે મણિપુર સળગી રહ્યુ છે. હવે સ્થિતી એ છે કે હિંસા મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચી ગઈ છે.

મણિપુરમાં ઘણા વિસ્તારોમાં ફરી હિંસક પ્રદર્શનો સતત જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ટોળાએ મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહના પરિવાર સાથે જોડાયેલા આવાસ પર હુમલો કરી દીધો હતો. જોકે તે સમયે ત્યાં કોઈ હાજર નહોતું.

Manipur

બે વિદ્યાર્થીઓની હત્યા બાદ રાજ્યમાં વાતાવરણ ગરમાયું છે. ઈમ્ફાલમાં વિવિધ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સીએમ આવાસ તરફ કૂચ કરવાની યોજના બનાવી છે પરંતુ સુરક્ષા દળો તેમને રોકી રહ્યાં છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઈમ્ફાલ ઘાટીમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

બુધવારે થૌબલ જિલ્લામાં હિંસક દેખાવો થયા હતા અને વિરોધ કરી રહેલા જૂથે ભાજપ કાર્યાલયનો ગેટ તોડી નાખ્યો હતો. આ પછી બારીઓ તોડી અંદર આગ લગાવી દીધી. થોડી જ વારમાં સુરક્ષા સેનાએ ઉપદ્રવીઓને હટાવી દીધા હતા.

હાલમાં જ રાજ્ય સરકારે ઈન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવ્યો છે. જે બાદ મીટીના બે વિદ્યાર્થીઓની હત્યાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાથી સરકાર હચમચી ગઈ ફરીથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો.

નવા આદેશ અનુસાર, 1 ઓક્ટોબરે સાંજે 7:45 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત રાજ્યમાં શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X