Manipur Violence : ફરીથી સળગ્યુ મળીપુર, 6 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરાયુ
Manipur Violence : રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકવાના દાવા કરનારા પીએમ નરેન્દ્ર મોદી મણીપુરની હિંસા નથી રોકાવી શક્યા. હવે ફરીથી એક વખત મણીપુર સળગી રહ્યું છે.
સમાચારો અનુસાર, મણીપુરમાં ભારે હિંસાને કારણે 6 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી છે. આ હિંસામાં કેટલાક લોકોના મોત થયા હોવાના પણ અહેવાલ છે.

મણીપુરમાં હિંસા જીરી નદીમાંથી ત્રણ મૃતહેદ મળ્યા બાદ શરૂ થઈ. આ લોકોને ન્યાય અપાવવા માટે કેટલાક લોકોએ ઈમ્ફાલમાં મંત્રીઓ અને ધારાસભ્ચોના ઘરોમાં ઘુંસી જઈને ન્યાયની માંગ કરી હતી.
ઇમ્ફાલ પશ્ચિમના જિલ્લા મેજિસ્ટ્રેટ કિરણકુમારના આદેશ અનુસાર, કર્ફ્યુ શનિવારે સાંજે 4:30 વાગ્યાથી અમલમાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સુરક્ષા દળોને શાંતિ જાળવવા નિર્દેશ આપ્યો અને લોકોને મદદ કરવા અપીલ કરી છે.
જણાવી દઈએ કે, ગયા વર્ષે મે મહિનાથી ઇમ્ફાલ ખીણના પહાડી વિસ્તારોના મેતેઇ અને કુકી સમુદાયો વચ્ચે હિંસામાં 200 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજારો લોકો બેઘર થયા છે.
જીરીબામ તેની વંશીય વિવિધતાને કારણે ઇમ્ફાલ ખીણ અને પહાડી વિસ્તારોની હિંસાથી મોટાભાગે અલગ હતુ. જો કે આ વર્ષે જૂનમાં એક ખેડૂતનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યા બાદ હિંસા શરૂ થઈ છેે.
શનિવારે સવારે 4:30 વાગ્યાથી ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ફરીથી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે અને હતો અને આગામી આદેશો સુધી ચાલુ રહેશે. અગાઉ 15 નવેમ્બરે કર્ફ્યુમાં થોડી રાહત આપવામાં આવી હતી પરંતુ હવે તેને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે, મણિપુરમાં એક વર્ષ કરતા વધુ સમયથી હિંસા થઈ રહી છે. આ હિંસા મુખ્યત્વે મેતેઈ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલા વંશીય સંઘર્ષનું પરિણામ છે. એક સમયે સાથે રહેતા સમુદાયો હવે હિંસા અને તણાવ દ્વારા વિભાજિત થઈ ગયા છે.












Click it and Unblock the Notifications
