મનીષ સિસોદીયા મહારાણા પ્રતાપના વંશજ, આપનું ઓબીસી કાર્ડ
દારૂ નીતિને લઇને કથિત ગોટાળાને લઇને સીબીઆઇ તપાસના દાયરામાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઇને આમ આદમી પાર્ટીએ પોતાનો જાતિવાદી રાજનીતિ શરૂ કરી છે. પાર્ટીએ સિસોદીયાના બહાને રાજપુતોને સાધવાનો પ્રયાસ કર્યો
દારૂ નીતિને લઇને કથિત ગોટાળાને લઇને સીબીઆઇ તપાસના દાયરામાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઇને આમ આદમી પાર્ટીએ પોતાનો જાતિવાદી રાજનીતિ શરૂ કરી છે. પાર્ટીએ સિસોદીયાના બહાને રાજપુતોને સાધવાનો પ્રયાસ કર્યો છે. સિસોદીયા મહારાણા પ્રતાપના વંશજ ગણાવીને પાર્ટી ગુજરાતમાં રાજપુતોને પોતાની તરફ કરવા પ્રયાસ કરી રહી છે.

ગુજરાતના નેતા અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવીએ તને લઇને એક ટ્વીટ કર્યુ છે. જેમા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ રીટ્વીટ કર્યુ છે. આ પહેલા પાર્ટી પ્રવસ્તા સંજયસિંહે પણ મનીષ સિસોદીયાને મહારાણા પ્રતાપના વંશજ કહીને કેન્દ્રીય મંત્રી અનુરાજ ઠાકુર પર પલટવાર કર્યો હતો. જેમણે કહ્યું હતુ કે, મનીષ સિસોદીયાના નામનો સ્પેલિંગ હવે MONEY SHH થઇ ગયુ છે.












Click it and Unblock the Notifications
