નવાઝને એક તક આપવા માગે છે મનમોહન સિંહ: ખુર્શીદ
વિદેશમંત્રી સલમાન ખુર્શીદે આની સાથે જ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે શરીફ પર ભરોસો કરવાની સાથે જ ભારત બંધ પડેલી વાર્તા પ્રક્રિયાનું વહન કરવાની દિશામાં કોઇ પગલું ભર્યા પહેલા જમીની સ્તરે ઉઠાવવામાં આવેલા પગલાંઓની પણ ખરાઇ કરવા ઇચ્છશે.
ખુર્શીદે અત્રે પ્રેટ્રને આપેલા ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે ભારત વિરોધી આતંકવાદના 'વિષાણુ'ના મૂળ પાકિસ્તાનમાં છે જેનો કોઇપણ કાળે સફાયો બોલાવવો જરૂરી છે. પછી ભલે એ 'રાજ્ય પ્રાયોજિત, રાજ્ય નિયંત્રિત, રાજ્ય સમર્થિત અથવા રાજ્ય દ્વારા પ્રોત્સાહિત કેમ ના હોય. અને આ વિષાણુંને પોતાની જડો ફેલાવીને રચનાત્મક સૃજનાત્મક સંબંધોનીના છોડને નષ્ટ કરવાની પરવાનગી ના આપવી જોઇએ.
ખુર્શીદે ભાજપાના વિરોધ છતાં શરીફની સાથે મનમોહન સિંહની મુલાકાતને યોગ્ય ગણાવતા જણાવ્યું કે 'અમારા વડાપ્રધાન તેમને એક તક આપવા માગે છે, તેમના પર વિશ્વાસ કરવા માંગે છે. પરંતુ જેમ કે તેમણે કહ્યું છે કે તપાસ કરવી પડશે.'
ભાજપાએ એવું કહેતા સિંહની શરીફની સાથે મુલાકાતનો વિરોધ કર્યો છે, પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘન કરવાનું કારણ મુલાકાતનો આ યોગ્ય સમય નથી.