દવાઓ પર માર્જિન નક્કી થશે, પંજાબ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ
સ્વાસ્થ્ય ક્ષેત્ર લોકોને લૂંટી રહ્યું હોવાને પગલે પંજાબ સરકારે દવાઓ પર લેવાતા માર્જિનની સીમા નક્કી કરવા માટે એક પ્રસ્તાવ પાસ કર્યો છે. જેથી હવે સ્વાસ્થ્ય સેવાઓ માટે નાગરિકોના હજારો રૂપિયા નહીં વેડફાઇ.

ગુરુવારે પંજાબ વિધાનસભામાં એક પ્રસ્તાવ પાસ કરી રાજ્ય સરકાર તરફથી ખાનગી કંપનીઓ દ્વારા દવાઓ પર લેવાતા લાભની સીમા નક્કી કરવાની ભલામણ કરવામાં આવી છે. વિધાનસભાના બંને પક્ષના રાજનેતાઓએ રાજ્યોને કેન્દ્ર સમક્ષ અતિશય કિંમત વાળી દવાઓ દ્વારા લોકોની થતી લૂટનો મુદ્દો ઉઠાવવાની ભલામણ કરી. પંજાબ વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાં આ મામલાને ઉઠાવતાં કેટલાક સભ્યોએ દવાઓ પર લાભ માર્જિન સીમિત કરવાનો ઉપાય જણાવ્યો, જ્યારે કેટલાકે રાજ્યમાં સરકારી સ્વાસ્થ્ય ક્ષેત્રને મજબૂત કરવાની માંગ કરી. જેમાં મુખ્ય રૂપે વિપક્ષના સભ્યો સામેલ હતા.
દવાની વધુ કિંમત લોકોના પૈસા લૂંટી રહી
સદનમાં પ્રસ્તાવ રજૂ કરતી વખતે ચમકૌર સાહિબને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડૉ ચરણજીત સિંહે કહ્યું કે દવાઓની વધુ કિંમત લોકોના પૈસા લૂંટી રહી છે, જેનાથી મોંઘી દવા ખરીદવા માટે કેટલાય લોકોએ પોતાની સંપત્તિ વેચવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. ચરણજીત સિંહે કહ્યું કે માત્ર કેમિસ્ટ જ નહીં, કેટલાય જાણીતા ખાનગી દવાખાના પણ એમઆરપીથી વધુ કિંમત પર દવા વેચી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મામલો માત્ર પંજાબનો જ નથી બલકે આખા દેશને દુઃખ આપી રહ્યો છે.
સરકારી ડૉક્ટર્સ જેનેરિક દવાની ભલામણ નથી કરી રહ્યા
ડૉ ચરણજીત સિંહે કહ્યું કે સરકારી ડૉક્ટર જેનેરિક દવાની ભલામણ નથી કરી રહ્યા અને રોગીઓને જેનેરિક દવા લખવા માટે તેમને દબાણ કરવા આગ્રહ કર્યો. તેમણે આગળ કહ્યું કે કોઈપણ દવા કંપનીનો ઉલ્લેખ કર્યા વિના માત્ર દવાનું રાસાયણ નિર્ધારિત કરવું જોઈએ. આમ કહેતાં ધારાસભ્યોએ કદાચાર પર રોક લગાવવા કેન્દ્રને એક મજબૂત નીતિ બનાવવાની માંગ કરી છે.
કોંગ્રેસ ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ કહ્યું કે ખાનગી ક્ષેત્ર લોકોને ખરાબ રીતે લૂંટી રહ્યું છે. તેમણે ખાનગી સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રના નિયમનની માંગ કરતા કહ્યું કે વિશેષ રૂપે ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો પર મોંઘી સ્વાસ્થ્ય સેવાઓને કારણે બોજો વધી રહ્યો છે. કેબિનેટ મંત્રી ગુરમીત સિંહ મીત હાયરે ઉપાય જણાવતા કહ્યું કે દવાઓ પર લાભની સીમા નક્કી કરી દેવી જોઈએ.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
