જેની ઉપર લગાવ્યો બળાત્કારનો આરોપ તેની સાથે 3 વર્ષ પછી જેલમાં લગ્ન કર્યા
બિહારના જમુઈ જિલ્લામાં બળાત્કાર અને પછી પીડિતા સાથે જેલમાં લગ્ન કરવાનો મામલો સામે આવ્યો છે.
બિહારના જમુઈ જિલ્લામાં બળાત્કાર અને પછી પીડિતા સાથે જેલમાં લગ્ન કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં ત્રણ વર્ષથી જેલમાં બંધ યૌનશોષણ આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવા માટે હા પાડી. કોર્ટના આદેશ પછી જેલ પરિસરની અંદર જ બનેલા મંદિરમાં બધા જ રીતિ રિવાજો સાથે બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્નની બધી જ તૈયારીઓ જેલ પ્રશાશન ઘ્વારા પુરી કરવામાં આવી અને લગ્ન પછી વર અને વધુને જેલ અધિકારીઓ ઘ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા. લગ્ન પછી દુલ્હાને ફરી જેલમાં મોકલી દેવામાં આવ્યો, જયારે પીડિતા પોતાના પિયર ચાલી ગયી.
બિહારના જમુઈ જિલ્લાના ગીધોર ચોકી ક્ષેત્રમાં ગેનાડીહ માં રહેનાર યુવતીને ગુગુલડીહ ગામમાં રહેતા વ્યાસ પાંડે સાથે પ્રેમ થઇ ગયો. આ દરમિયાન બંનેએ શારીરિક સંબંધ પણ બનાવી લીધા. પરંતુ જયારે છોકરીના પરિવારને તેમના પ્રેમ પ્રસંગ વિશે જાણકારી મળી ત્યારે તેમને છોકરા પર બંને લગ્ન કરી લે તેવો દબાવ બનાવ્યો. પરંતુ છોકરાએ પોતાના પરિવારના દબાવમાં લગ્ન કરવાની ના પાડી દીધી. છોકરાએ જયારે લગ્ન કરવાની ના પડી ત્યારે છોકરીએ કોર્ટની શરણ લીધી અને છોકરા પર લગ્ન કરવાનું વચન આપીને યૌનશોષણ કરવાનો આરોપ લગાવ્યો.
કોર્ટના આદેશ પર પોલીસે યુવકની ધરપકડ કરી અને તેને જેલ મોકલી આપ્યો. આરોપી વ્યાસ પાંડે છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં બંધ છે. ત્રણ વર્ષ જેલમાં વિતાવ્યા પછી આખરે તેનું દિમાગ ખુલ્યું અને તેને કોર્ટમાં અરજી આપી કે તે યુવતી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. યુવકની અરજી પર કોર્ટ ઘ્વારા યુવતીની લગ્ન કરવા માટેની મરજી પૂછવામાં આવી. યુવતીએ પણ લગ્ન કરવા માટે હા પાડી દીધી. યુવક અને યુવતી બંનેની સહમતી પછી કોર્ટ ઘ્વારા જેલ પ્રશાશનને આદેશ આપવામાં આવ્યો કે તેઓ જેલમાં તેમના લગ્ન કરાવે.