For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઇએ : માયાવતી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mayawati-akhilesh-yadav
લખનઉ, 7 જાન્યુઆરી : યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના સુપ્રીમો માયાવતીએ હાલની અખિલેશ યાદવની રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે સમાજમાં અપરાધ ચરમસીમા પર છે. માયાવતીએ કહ્યું હતું કે એક પછી એક બળાત્કારની ઘટનાઓથી ઉત્તરપ્રદેશ અપરાધ પ્રદેશ બની ગયો છે. આટલું જ નહી માયાવતીએ નોઇડા બળાત્કાર અને હત્યાના કેસમાં કહ્યું હતું કે પોલીસે રેપ કેસ દબાવવાની કોશિશ કરી છે. અખિલેશ સરકારને નકામી ગણાવતાં માયાવતીએ કહ્યું હતું કે જ્યારે ગુનાઓ નિયંત્રણ બહાર છે તો ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થવું જોઇએ.

માયાવતીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સતત બળાત્કાર, હત્યા, કોમી અને મહિલાઓ પર અત્યાચાર વધતાં જાય છે. યુપી પોલીસ કાર્યવાહી કરવાના બદલે ઘટનાઓને દબાવવાનો પ્રયત્ન કરે છે. માયાવતીએ કહ્યું હતું કે નોઇડા રેપ કેસ તેનું તાજુ ઉદાહરણ છે. માયાવતી આટલુ કહી અટક્યા ન હતા તેમને કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના નેતા કર વસૂલાતમાં લાગેલા રહે છે.

માયાવતીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીમાં ગુંડા અને અપરાધીઓ છે. પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઇએ. ગુનાઓ ચરમ પર છે. માયાવતીએ પોલીસ તંત્ર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે અહીંયા પોલીસ કેસને દબાવવાનો પ્રયત્ન કરે છે. પોલીસ કાર્યવાહી કરવાના બદલે કેસને દબાવવા માંગે છે. માયાવતીએ કહ્યું હતું કે નોઇડા રેપ-હત્યા કેસમાં પોલીસ મૃતકાની લાશને રાત્રે જ અંતિમ સંસ્કાર કરવા માટે દબાણ બનાવી રહી હતી જેથી આ કેસને દબાવી શકાય.

English summary
BSP chief Mayawati demands President's Rule in Uttar Pradesh in view of increasing cases of rape.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X