MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલનુ 98 વર્ષની વયે નિધન
એમડીએચ(મહાશિયા દી હટ્ટી) મસાલાના માલિક મહાશય ધર્મપાલ હવે આપણી વચ્ચે નથી રહ્યા.
નવી દિલ્લીઃ એમડીએચ(મહાશિયા દી હટ્ટી) મસાલાના માલિક મહાશય ધર્મપાલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. 98 વર્ષના મહાશય ધર્મપાલે ગુરુવારે સવારે લગભગ 5.30 વાગે દિલ્લીની માતા ચાનન દેવી હોસ્પ્ટલમાં અંતિમ શ્વાસ લીધા. 'મસાલાના કિંગ' નામથી જાણીતા મહાશય ધર્મપાલ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. 1923માં પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલા મહાશય ધર્મપાલ 1947માં દેશના ભાગલા વખતે ભારત આવ્યા હતા. ત્યારબાદ તેમણે દિલ્લીના કરોલ બાગ વિસ્તારમાં પોતાની મસાલાની દુકાન ખોલી અને ધીમે ધીમે તેમની એમડીએચ બ્રાંડ આખી દુનિયામાં છવાઈ ગઈ.

ધર્મપાલ ગુલાટીને 'દાદાજી' અને 'મહાશયજી'ના નામથી પણ બોલાવવામાં આવતા હતા. મસાલાનો વેપાર તેમના પિતાએ સિયાલકોટમાં શરૂ કર્યો હતો. જેને બાદમાં ધર્મપાલ ગુલાટીએ સંભાળ્યો. તેમના યોગદાન માટે ધર્મપાલ ગુલાટીને 2019માં રાષ્ટ્રપતિ કોવિંદે પદ્મભૂષણ અવૉર્ડથી પણ સમ્માનિત કર્યા હતા.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી












Click it and Unblock the Notifications
