ઉત્તરાખંડના આ જાણીતા મંદિરમાં સાત ફેરા લેશે આકાશ અને શ્લોકા
મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઈ હીરા વેપારી રસેલ મહેતાની નાની દીકરી શ્લોકા મહેતા સાથે 30 જૂને મુંબઈમાં ધૂમધામ સાથે થઈ હતા. સમાચાર છે કે આકાશ અને શ્લોકા ઉત્તરાખંડના મંદિરમાં સાત ફેરા લેશે.
ભારતના જ નહિ પરંતુ એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઈ હીરા વેપારી રસેલ મહેતાની નાની દીકરી શ્લોકા મહેતા સાથે 30 જૂને મુંબઈમાં ધૂમધામથી થઈ હતી. હવે બંનેના પરિવાર લગ્નની તૈયારીઓમાં લાગી ગયા છે. સમાચાર છે કે આકાશ અને શ્લોકા ઉત્તરાખંડના મંદિરમાં સાત ફેરા લેશે.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન...
મીડિયાના સૂત્રો મુજબ સમાચાર છે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના જાણીતા ત્રિયુગી નારાયણ મંદિરમાં થઈ શકે છે અને આના કારણમે રિલાયન્સ કંપનીના અધિકારીઓની એક ટીમ હાલમાં જ મંદિરની મુલાકાત લઈને ગઈ છે. જો આમ હોય તો આ પ્રસંગને ઉત્તરાખંડ સરકાર પર ગમે તેમ કરીને કરાવવા ઈચ્છશે કારણકે આનાથી પર્યટનને પ્રોત્સાહન મળશે.

કેમ પસંદ કર્યુ ત્રિયુગી નારાયણ મંદિર?
ત્રિયુગી નારાયણ મંદિર વિશે માન્યતા છે કે અહીં જે જોડુ સાત ફેરા લે છે તેમનો સાથ સાત જન્મ સુધી રહે છે. બંનેનું વૈવાહિક જીવન સુખદ અને આબાદ રહે છે. કહેવામાં આવે છે કે અંબાણી પરિવાર ભગવાનમાં આસ્થા છે અને આના કારણે જ તે પોતાના બાળકોના લગ્ન અહીં કરાવવા આવી રહ્યા છે.

મંદિરના ખાસિયત
પૌરાણિક માન્યતા અનુસાર ત્રિયુગી નારાયણ મંદિરમાં જ ભગવાન અને શિવ અ માતા પાર્વતીના લગ્ન થયા હતા. એવુ કહેવામાં આવે છે કે મંદિરમાં ત્રણ યુગોથી જ્વાલા સળગી રહી છે અને આને સાક્ષી માનીને ભગવાન શંકરે પાર્વતીજીને અપનાવ્યા હતા. મંદિરની અખંડ ધૂનીના ફેરા ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ સમયે લીધા હતા એટલા માટે આ મંદિર માનક માનવામાં આવે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
