ભારતીય ચિત્રકાર એમ એફ હુસૈનની આજે પુણ્યતિથિ, અમદાવાદ સાથે છે ખાસ સંબંધ
ભારતીય ચિત્રકાર એમ એફ હુસૈનની આજે પુણ્યતિથિ, અમદાવાદ સાથે છે ખાસ સંબંધ
ભારતીય ચિત્રકાર એમ એફ હુસૈને પોતાના પેન્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મોમાં હોર્ડિંગ બનાવીને કરી હતી. તેમનો બૉલીવુડ સાથેનો પ્રેમ તો સૌકોઈ જાણે જ છે. 9 જૂન 2011ના રોજ 95 વર્ષની ઉંમરે તેમનું લંડન ખાતે નિધન થયું હતું. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1015માં પંઢરપુર ખાતે થયો હતો. તેમણે પોતાના રંગોથી ભારતીય પેન્ટિંગને એક ઓળખ આપી હતી. જે કર્યારેય ધૂંધળી ન પડી, તેમના રંગોમાં ભારતની ધરતી, ખાસ કરીને માળવાની માટીની સુગંધ જોવા મળે છે.

તેમણે મુંબઈ આવીને અનેક ફિલ્મો સાથે કામ કર્યું. ચિત્રકાર મકબુલ ફિદા હુસૈન ફિલ્મ જગતની અનેક સુંદરીઓ પ્રત્યે ખુબ જ પ્રભાવિત હતા, જેમાં માધુરી દિક્ષિતનું નામ સૌથી ઉપર આવે છે, તેમની પહેલી ફિલ્મ ગજગામીની આવે છે જેમાં માધુરી દિક્ષિત મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. જે બાદ તેમણે તબ્બૂ સાથે મિનાક્ષી અને ટેલ ઑફ 3 સિટીઝ પણ બનાવી હતી. તેઓ એક સારા ચિત્રકાર હોવાની સાથે ફિલ્મકાર પણ હતા.
Recommended Video

ભારતીય દેવી દેવતાઓના વિવાદિત ચિત્રોને કારણે ભારતના અનેક સ્થળોએ તેમનો ઉગ્ર વિરોધ થયો હતો. જે કારણે તેમણે 2006માં ભારત છોડવું પડ્યું હતું, 1967માં તેમને પદ્મશ્રી થી નવાજવામાં આવ્યા હતા, તેમજ તેમને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
બીબીસીના રિપોર્ટ મુજબ એમએફ હુસૈન 2006માં ભારત છોડતા પહેલાં અઠવાડિયું અમદાવાદમાં જ રહ્યા હતા. તેમના પરદાદાને પણ અમદાવાદમાં જ દફનાવવામાં આવ્યા હતા. એમ એફ હુસૈને જ્યારે દેવી દેવતાઓના વિવાદિત ચિત્રો દોર્યાં ત્યારે તેમનો જબરો વિરોધ થયો હતો, અમદાવાદમાં બે વખત આંદોલન થયું હતું. બીજી તરફ હુસૈન-દોશી ગુફા પર હિંદુ સામ્રાજ્ય સેનાએ હુમલો કર્યો હતો.
એક વખત ઈન્ટર્વ્યૂમાં એમ એફ હુસૈને કહ્યું હતું કે "કળા જોખમી છે અને તે જોખમી ન હોય તો તે કળા નથી. મેં જ્યારે પણ જે કંઈ કર્યું એ સમર્પણ ભાવ અને પ્રેમથી કર્યું છે, કોઈને દુખી કરવા માટે નહીં, એટલે માફી માંગવાનો પ્રશ્ન જ નથી."
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી








Click it and Unblock the Notifications
