ધમતારી, 11 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છત્તીસગઢના ધમતારીમાં સભાને સંબોધિત કરી રહ્યા છે, નરેન્દ્ર મોદી ભારત વિજય રેલીમાં આવીને સભાને સંબોધી રહ્યા છે. મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
નરેન્દ્ર મોદીએ ચૂંટણીને લોકતંત્રનો ઉત્સવ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકોને પોતાના પાંચ વર્ષના શાસનનો હિસાબ આપવો પડે છે. હમણા તમારા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ગઇ. ત્યારે રમણ સિંહ લોકોના ઘેર ઘેર જઇને તેઓ લોકોને હિસાબ આપતા હતા. અને કરે વચનો જો બાકી રહી ગયા હોય તો તેઓ હાથ જોડીને માફી માંગતા હતા કે મારાથી આ કામ રહી ગયું છે, જે હું હવે પછી સુધારી લઇશ.
પરંતુ કોંગ્રેસ સરકાર પોતાના ઘમંડમાંથી નીચે નથી ઉતરતું. તે લોકોને હિસાબ આપવાનું તો દૂર તે આખા દેશમાં ફરી ફરીને ગુજરાતના વિકાસ મોડેલ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ મોદી સરકારના વિકાસને ખોખલા સાબિત કરવામાં લાગ્યા છે.
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું વાંચો અને વીડિયો...
રાહુલ ગરીબોને ટુરિઝમ માને છે
નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા. મોદીએ જણાવ્યું કે રાહુલ ગાંધીને ગરીબની વાત ના કરે તો તેમને મજા નથી આવતી, એટલે ગરીબ એ રાહુલ ગાંધીના મજાનું સાધન છે. તેઓ ગરીબોને એક ટુરિઝમ તરીકે લે છે, તેઓ તેમના ઘરે જાય છે ફોટા પડાવે છે, અને ગરીબોનું ખાવાનું પણ ખાઇ જાય છે. તેઓ સોનાની ચમચી સાથે જન્મ્યા છે માટે તેમને ગરીબીની ખબર નથી હું તો ગરીબીમાં જ જન્મ્યા છું, એટલે મને તો ખબર છે કે ગરીબોના પ્રશ્નો શું છે.
કોંગ્રેસ ભાગલા પાડે છે
અટલ બિહારી વાજપેઇજીના આપણે આભારી છીએ કે તેમણે આપણને છત્તીસગઢ આપ્યું, ઝારખંડ આપ્યું, ઉત્તરાખંડ આપ્યું પરંતુ દરેક રાજ્ય મીઠાઇઓ વહેંચતા હતા. પરંતુ જ્યારે કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણાને છૂટું પાડ્યું તો તેલંગાણા અને સીમાંધ્ર બંને ભડકે બળી રહ્યું છે. કોંગ્રેસની નીતિ જ ભાગલાં પાડો અને રાજ કરોવાળી છે.
અજીત જોગી પાસે કંઇક રાજ છે
અજીત જોગીની પાસે ચોક્કસ કંઇક રહસ્ય છે. કારણ કે તેમની વારંવાર હાર થવા છતાં કોંગ્રસ પરિવાર તેને વારંવાર પોતાની સાથે રાખી રહી છે. અજીત જોગીની પાસે ચોક્કસ આ પરિવારનું કોઇ રહસ્ય હશે, તે જાણવું પડશે. એકવાર દિલ્હીમાં ભાજપની સરકાર બની ત્યારબાદ આ તમામની પોલ ખૂલવાની છે.
ત્રીજા ચરણમાં કોંગ્રેસનું ખાતુ નથી ખૂલ્યું
ભાઇઓ બહેનો ગઇકાલે જે ત્રીજા ચરણનું મતદાન થયું છે. તેમાં 91 બેઠકો માટેની ગઇકાલની ચૂંટણીમાં ક્યાંય કોંગ્રેસનું ખાતું ખોલાતું નથી દેખાઇ રહ્યું. એવા મારી પાસે આંકડા આવ્યા છે. લોકો તેમનો ફેસલો કરી દીધો છે.
ખેડૂતોએ આત્મહત્યા નહીં કરવી પડે
અમે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે અમે ખેડૂતોને ખેતીમાં અને કૃષિમાં જે ખર્ચા આવશે તેનો સરવાળો કરવામાં આવશે અને તેમાં પચાસ ટકા નફો જોડીને તેની મિનિમમ પ્રાઇઝ નક્કી કરવામાં આવશે. જેનાથી એક પણ ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો નહીં આવે.
નિર્ભયાકાંડ પર મોદી...
મિત્રો આ કોંગ્રેસ પાર્ટીનો વ્યવસાય તો જુઓ, હમણા દિલ્હીમાં જે નિર્ભયાકાંડ થયો હતો જેમાં કેન્દ્ર સરકારે 1 હજાર કરોડનું ફંડ નિર્ભયાના નામે જાહેર કર્યું હતું પરંતુ આજ દિન સુધી તેમાંથી એક રૂપિયો પણ વાપર્યો નથી. અધૂરામાં પૂરું હમણાં વચગાળાના બજેટમાં પણ ખાલી નામ ખાતર તેમાં ફરીથી બીજા એક હજાર કરોડ રૂપિયા ઉમેરવામાં આવ્યા.
મજબૂત સરકાર બનાવો
કોંગ્રેસના આ ધંધાને બંધ કરવા માટે તમારે કોંગ્રેસને દૂર કરવી પડશે. અને ભાજપને એક મજબૂત સરકાર તરીકે દેશમાં લાવી પડશે. જેના માટે તમારે છત્તીસગઢમાંથી બધી બેઠકો પર ભાજપના ઉમેદવારોને ચૂંટણીને લોકસભામાં મોકલવા પડશે, પછી જુઓ નરેન્દ્ર મોદી અને રમણ સિંહ મળીને છત્તીસગઢનો કેવો વિકાસ કરે છે.
રાહુલ ગરીબોને ટુરિઝમ માને છે
નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા. મોદીએ જણાવ્યું કે રાહુલ ગાંધીને ગરીબની વાત ના કરે તો તેમને મજા નથી આવતી, એટલે ગરીબ એ રાહુલ ગાંધીના મજાનું સાધન છે. તેઓ ગરીબોને એક ટુરિઝમ તરીકે લે છે, તેઓ તેમના ઘરે જાય છે ફોટા પડાવે છે, અને ગરીબોનું ખાવાનું પણ ખાઇ જાય છે. તેઓ સોનાની ચમચી સાથે જન્મ્યા છે માટે તેમને ગરીબીની ખબર નથી હું તો ગરીબીમાં જ જન્મ્યા છું, એટલે મને તો ખબર છે કે ગરીબોના પ્રશ્નો શું છે.
કોંગ્રેસ ભાગલા પાડે છે
અટલ બિહારી વાજપેઇજીના આપણે આભારી છીએ કે તેમણે આપણને છત્તીસગઢ આપ્યું, ઝારખંડ આપ્યું, ઉત્તરાખંડ આપ્યું પરંતુ દરેક રાજ્ય મીઠાઇઓ વહેંચતા હતા. પરંતુ જ્યારે કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણાને છૂટું પાડ્યું તો તેલંગાણા અને સીમાંધ્ર બંને ભડકે બળી રહ્યું છે. કોંગ્રેસની નીતિ જ ભાગલાં પાડો અને રાજ કરોવાળી છે.
અજીત જોગી પાસે કંઇક રાજ છે
અજીત જોગીની પાસે ચોક્કસ કંઇક રહસ્ય છે. કારણ કે તેમની વારંવાર હાર થવા છતાં કોંગ્રસ પરિવાર તેને વારંવાર પોતાની સાથે રાખી રહી છે. અજીત જોગીની પાસે ચોક્કસ આ પરિવારનું કોઇ રહસ્ય હશે, તે જાણવું પડશે. એકવાર દિલ્હીમાં ભાજપની સરકાર બની ત્યારબાદ આ તમામની પોલ ખૂલવાની છે.
ત્રીજા ચરણમાં કોંગ્રેસનું ખાતુ નથી ખૂલ્યું
ભાઇઓ બહેનો ગઇકાલે જે ત્રીજા ચરણનું મતદાન થયું છે. તેમાં 91 બેઠકો માટેની ગઇકાલની ચૂંટણીમાં ક્યાંય કોંગ્રેસનું ખાતું ખોલાતું નથી દેખાઇ રહ્યું. એવા મારી પાસે આંકડા આવ્યા છે. લોકો તેમનો ફેસલો કરી દીધો છે.
ત્રીજા ચરણના મતદાનમાં કોંગ્રેસનું ખાતું ક્યાય ખૂલ્યું નથી
ત્રીજા ચરણના મતદાનમાં કોંગ્રેસનું ખાતું ક્યાય ખૂલ્યું નથી