મોદી સરકારના 8 વર્ષની ઉજવણી માટે ભાજપે રાજ્યોમાં કાર્યક્રમો કર્યા શરુ
મોદી સરકારના 8 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગ રુપે રાજ્યોમાં કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ મોદી સરકારના 8 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગ રુપે રાજ્યોમાં કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ 72 વર્ષીય મોદીની રાજકીય યાત્રાની ઝલકો અને 'છેલ્લા આઠ વર્ષોમાં ખુદને પ્રધાન સેવક તરીકે બદલવા'નો વિષય, રાષ્ટ્રીય પ્રસારક સહિત પ્રિન્ટ અને ટેલીવિઝન મીડિયાના માધ્યમથી છપાશે.

મોદી સરકારની વર્ષગાંઠને જ્યારે મોદીએ ગુજરાતમાંથી રાયસીના પહાડીઓમાં સત્તા કેન્દ્રને સ્થાનાંતરિત કર્યુ તો સરકારની નીતિઓ, ખાસ કરીને પ્રધાનમંત્રીની પ્રમુખ યોજનાઓ સાથે જનતા સુધી પહોંચવા માટે પાર્ટી કાર્યક્રમો સાથે જોડવામાં આવી છે. કોવિડ-19ના છેલ્લા બે વર્ષોમાં જન્મદિવસની થીમ 'સેવા અને સમર્પણ' રહી તેમાંથી બહાર નીકળીને ભાજપ આ વખતે બધા કેન્દ્રીય મંત્રીઓ સાથે અલગ-અલગ રાજ્યોનો પ્રવાસ કરીને છેલ્લા આઠ વર્ષોમાં પ્રમુખ નીતિઓ દ્વારા આપવામાં આવેલા લાભો વિશે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ દ્વારા ઉત્સવના મૂડને વધારવાની કોશિશ કરી રહ્યા છે.
ભાજપ 30મેથી 'સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ'ની થીમ સાથે મોદી સરકારના સત્તામાં 8 વર્ષ પૂરા થવાની ઉજવણી કરશે. કેન્દ્રીય મંત્રીઓને 30 મેથી 15 જૂન સુધી પાર્ટી કાર્યકર્તાઓ અને કેન્દ્ર સરકારીની ઘણી યોજનાઓના લાભાર્થીઓ સાથે જોડાવા અને ફીડબેક લેવાનુ કામ સોંપવામાં આવ્યુ છે. મંત્રીઓ વિવિધ રાજ્યોમાં તેમના રોકાણની યોજનાઓની વિગતો આપવામાં વ્યસ્ત હોવાથી વડા પ્રધાને તેલંગાનામાં પક્ષના કાર્યકરોને સંબોધિત કર્યા અને ચેન્નાઈમાં ભાજપના રોડ શોનુ નેતૃત્વ કર્યું જ્યાં તેમણે રૂ. 31,000 કરોડના પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન પણ કર્યુ.
મોદી પોતે 31મી મેના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં એક જાહેર રેલીને સંબોધશે. આ પહેલા વડાપ્રધાન ગુજરાતમાં રાજકોટ અને ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. ભાજપની આઠમી વર્ષગાંઠની યોજના મુજબ સ્મૃતિ ઈરાની, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ધર્મેન્દ્ર પ્રધાન સહિત કેન્દ્રીય મંત્રી પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે જ્યાં પાર્ટીમાં શામેલ થનારા ધારાસભ્યોના ટીએમસીમાં પક્ષપલટા બાદ પાર્ટી કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવાનો પ્રયાસ કરશે.
પાર્ટી એ રાજ્યો પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે જ્યાં તે વર્ષગાંઠને ચિહ્નિત કરવાની કવાયતમાં વિપક્ષની ભૂમિકા નિભાવી રહી છે અને આ રીતે ઓરિસ્સામાં પણ રેલીઓ, કાર્યક્રમો અને પ્રેસ કૉન્ફરન્સનના માધ્યમથી મતદારો સુધી પહોંચવા માંગે છે જ્યાં 2024માં ચૂંટણી થશે. આ રીતે સાર્વજનિક રેલીઓ, કાર્યક્રમો અને મીડિયા બ્રીફિંગને ચિહ્નિત કરતા પખવાડિયા દરમિયાન તેલંગાના, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ લક્ષિત રાજ્ય હશે.
મંત્રીઓ પરિષદો યોજશે, પક્ષના કાર્યકરો સાથે આગળ વધશે અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે અને જાહેર મૂડનું મૂલ્યાંકન કરશે. ખાસ કરીને ગરીબી રેખા હેઠળના લોકો. ભાજપ યુવા મોરચાને બ્લોક સ્તરે મીની રેલીઓનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે પાર્ટીના જિલ્લા એકમ પાર્ટીના 36 સંગઠનાત્મક જિલ્લાઓના મુખ્યાલયો પર રેલીઓ અને 'વિકાસ યાત્રા' યોજશે.












Click it and Unblock the Notifications
