મિશન 2014: દિલ્હીમાં શરૂ થયુ નરેન્દ્ર મોદીનું મંથન

પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા પછી નરેન્દ્ર મોદી પર પાર્ટીની નજરો મંડાયેલી છે. આશા એવી છે કે પ્રચાર અને પાર્ટીને નવી દિશા આપશે. પ્રથમ બેઠક તો નરેન્દ્ર મોદીએ ઉતાવળમાં બોલાવી લીધી છે, જેમાં કેટલાક મહાસચિવ પહોંચી શક્યા ન હતા.
હવે નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યાલયમાં પહેલાં સંસદીય બોર્ડની બેઠકમાં ભાગ લેશે અને પછી પ્રચાર સમિતિના સભ્યોને પણ બેઠકમાં સામેલ કરવામાં આવશે, જેથી જે નિર્ણયો થાયતે તાત્કાલિક સમિતિની મોહર લાગી જાય. જો કે પાર્ટીએ બેઠકનો એજન્ડા સ્પષ્ટ નથી કરી રહી.
જો કે પ્રચાર સમિતિના સભ્યોના નામની જાહેરાત હજુ સુધી થઇ નથી, પરંતુ સંકેત મળી રહ્યાં છે કે તેમાં 15 થી 16 સભ્યો હશે, જેમાં 9 મહાસચિવ, મુખ્તાર અબ્બાસ નકવી, સુધાંશુ ત્રિવેદી, પીયૂષ ગોયલ અને બે સહ સંગઠન મહામંત્રી હાજર રહેશે.












Click it and Unblock the Notifications
