દિલ્હીમાં નરેન્દ્ર મોદી - નીતિશએ એકબીજાને દાદ ના આપી

અપડેટ : 11.30
નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા : મોદી - નીતિશની સામ સામે મુલાકાત પર સૌની નજર
ગુજરાતમાં સતત ચોથીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદીનો 27 ડિસેમ્બર, 2012ના રોજ દિલ્હી આવવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી હતો. તેઓ આજે સવારે જ દિલ્હી પહોંચી ગયા છે. તેઓ દિલ્હી પહોંચ્યા બાદ રાષ્ટ્રીય વિકાસ પરિષદ (એનડીસી)ની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે.
આજે મળી રહેલી એનડીસીની બેઠકમાં 12મી પંચવર્ષીય યોજના અંગે ચર્ચા કરવામાં આવનારી છે. આ બેઠકમાં મોદી રાષ્ટ્રીય સ્તરના અન્ય નેતાઓની મુલાકાત લેશે અને આગામી સમયમાં તેમની યોજનાઓ અંગે ચર્ચા કરશે. દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લેવા આવ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી 2014માં પીએમ પદની દાવેદારીના મુદ્દે નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી બનેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીનો આમનો સામનો કેવી રીતે થાય છે તેના પર સૌ નજર રાખીને બેઠા છે.
મહત્વની બાબત એ પણ છે કે આ બેઠકમાં ઘણા નવા સમીકરણો જોવા મળી શકે છે. આગામી લોકસભા ચૂંટણી 2014માં એનડીએમાં નવા ઘટકપક્ષોનું જોડાણ અને જૂના ઘટક પક્ષોની અલવિદા પણ જોવા મળી શકે છે. ત્યારે નરેન્દ્ર મોદીની શપથવિધિમાં તમિલનાડુના મુખ્ય મંત્રી જયલલિતાની હાજરીએ આ અટકળોને બળ પૂરું પાડ્યું છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં મળી છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી










Click it and Unblock the Notifications
