મોદીને મળી પહેલી સફળતા, સ્વામી BJPમાં જોડાવા તૈયાર
નવી દિલ્હી, 4 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને 2014 ચૂંટણી સમિતિના અધ્યક્ષને પોતાની પહેલી સફળતા જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના રૂપમાં મળી ગઇ છે. સ્વામીએ ગુરુવારે ગુજરાત ભવનમાં મોદી સાથેની મુલાકાત બાદ જાહેરાત કરી કે તેઓ પોતાની પાર્ટીનું બીજેપીમાં વિલય કરવા માટે તૈયાર છે.
સ્વામીએ કહ્યું કે બીજેપી અને તેમની પાર્ટીમાં સૈદ્ધાંતિકરીતે કોઇ અંતર નથી, માટે જો ભારતીય જનતા પાર્ટી યોગ્ય સમજે તો અમે અમારી પાર્ટીને તેમની પાર્ટીમાં સમાવી લેવા માટે તૈયાર છીએ.
સ્વામીએ મોદી સાથે ભ્રષ્ટાચાર મામલા પર પણ વાત કરી અને આની પર સંભવિત રણનીતિથી પણ અવગત કરાવ્યા. સૂત્રો અનુસાર સ્વામીએ કહ્યું કે તેમના બીજેપી સાથે ખૂબ જ જૂના સંબંધો છે.
ઉલ્લેખનીય છે કે સ્વામી 1990 થી એકલા જ જનતા પાર્ટીનું કાર્યભાર સંભાળી રહ્યા છે. 1999માં અટલ સરકારને પાડનાર પણ સ્વામી જ હતા કારણ કે જ્યારે અટલ સરકાર હતી ત્યારે તેમની અવગણના કરવામાં આવી હતી, જેને તેમણે સાખી નહીં લઇ એક રણનીતિ અંતર્ગત અટલ સરકારને પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઇન્દિરા ગાંધીએ સ્વામીને તેમના ખુલા નાણાકિય વિચારોના કારણે એવું સાંતા ક્લોઝ કહ્યું હતું કે જેની ઝોળીમાં પોટલીમાં માત્ર અવાસ્તવિક વિચાર ભર્યા હતા. સૂત્રો અનુસાર હવે બધાની નજરો એ વાત પર ટકેલી છે કે સ્વામી અને મોદીની જોડી ચૂંટણી પર પોતાની શું અસર પાડે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
