મોદીને હતું 2002ના રમખાણોનું દુઃખ, રાજીનામું આપવા હતા તૈયાર
નવી દિલ્હી, 26 માર્ચઃ બ્રિટિશ લેખક અને ટીવી પ્રોડ્યુસર એન્ડી મારિનોએ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણી 2014માં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી 2002માં રાજ્યમાં થયેલા રમખાણોથી દુઃખી હતા પરંતુ કંઇ ખોટુ કરવાની લાગણી અનુભવી નહોતી. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોદી પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માગતા હતા પરંતુ પાર્ટીએ તેમને આમ કરતા અટકાવ્યા હતા.

પુસ્તક અનુસાર 2002ના રમખાણો પર મોદીએ કહ્યું, ‘ જે થયુ તેનો મને દુઃખ છે પરંતુ કોઇ ખોટુ કર્યાની લાગણી નથી અને કોઇ અદાલત એ સ્થાપિત કરવાની(રમખાણમાં તેમની ભૂમિકા) નજીક પણ નથી પહોંચી.' આ 310 પેજના પુસ્તકમાં એ ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે, મોદી રમખાણો બાદ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માગતા હતા, પરંતુ પાર્ટીએ તેમને પદ પર બની રહેવા કહ્યું હતું.
મારિનોએ કહ્યું, ‘ભાજપના દિગ્ગજ નેતાએ સંભવતઃ પહેલીવાર ઓન રેકોર્ડ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે રમખાણો બાદ મુખ્યમંત્રી રહેવા માગતા નહોતા, કારણ કે તેમણે નિર્ણય કર્યો કે આ રાજ્યની જનતા સાથે અન્યાય થશે, જે તેમના કારણે ભારે ટીકાનો ભોગ બની. મોદીએ ગોધરા ઘટના બાદ થયેલા રમખાણોના એક મહિના પછી 12 એપ્રિલ 2002માં પણજીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં મુખ્યમંત્રી પદેથી હટવાનો નિર્ણય કર્યો હતો.'
મોદીએ પણજી બેઠકમાં કહ્યું,‘ હું ગુજરાત અંગે કહેવા માગુ છુ. પાર્ટીની દૃષ્ટિએ આ એક ગંભીર મુદ્દો છે. આ મુદ્દે ચર્ચાની જરૂર છે અને એ માટે હું રાજીનામું આપવા માગુ છું. એ સમયે આ અંગે નિર્ણય કરવાનો છે કે આ બિંદુથી પાર્ટી અને દેશ કઇ દિશામાં જવો જોઇએ.' મોદીએ મારિનોને કહ્યું, ‘ હું આ પદેથી હટવા માગતો હતો, પંરતુ મારી પાર્ટી મને છોડવા તૈયાર નહોતી, ગુજરાતના લોકો મને છોડવા તૈયાર નહોતા... હું એ સ્થિતિમાં હતો. એ મારા પર નિર્ભર નહોતુ. હું પાર્ટીના અનુશાસન વિરુદ્ધ જવા તૈયાર નહોતો, હું મારી પાર્ટી સાથે લડવા માગતો નહોતો. મારા નેતા જે કહે, મારે તેનું પાલન કરવું જોઇએ.'
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા









Click it and Unblock the Notifications
