'ભારત બચાવો' રેલીમાં સોનિયા ગાંધીઃ ભારતની આત્માને તાર તાર કરી દેશે નાગરિકતા કાયદો
રાજધાની દિલ્લીના રામલીલા મેદાનમમાં કોંગ્રેસ પાર્ટીએ 'ભારત બચાવો' રેલીનુ આયોજન કર્યુ. બધાએ આ દરમિયાન સત્તાધારી પાર્ટી પર નિશાન સાધ્યુ.
રાજધાની દિલ્લીના રામલીલા મેદાનમમાં કોંગ્રેસ પાર્ટીએ ભારત બચાવો રેલીનુ આયોજન કર્યુ. આ રેલીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના નેતા રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાગ લીધો. આ બધાએ આ દરમિયાન સત્તાધારી પાર્ટી પર નિશાન સાધ્યુ. પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ, કોઈ પણ વ્યક્તિ સમાજ અને દેશની જિંદગીમાં ક્યારેક ક્યારેક એવો સમય આવે છે કે તેણે આ પાર કે પેલે પારનો નિર્ણય લેવો પડે છે. આજે એ જ સમય આવી ગયો છે. દેશને બચાવવો હોય તો આપણે કઠોર સંઘર્ષ કરવો પડશે.

સોનિયા ગાંધીએ કહ્યુ કે, 'યુવા બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અને તેમની સામે અંધારુ જ અંધારુ છે. ખેડૂતોની દશા જોઈને ખૂબ દુઃખ થાય છે. કારણકે ખેડૂતોને ના વિજળીની સુવિધા, ના પાણીની કે ના ખાતર, બીજની સુવિધા મળે છે. પાકના યોગ્ય ભાવ પણ મળતા નથી. તેમને બે ટંકનુ ભોજન પણ નથી મળી રહ્યુ. આપણે તેમના માટે સંઘર્ષ કરવા માટે તૈયાર છે કે નહિ.'
તેમણે કહ્યુ, 'આજે તો અંધેર નગરી ચોપટ રાજા જેવો માહોલ છે. આખો દેશ પૂછી રહ્યો છે, સબકા સાથ સબકા વિકાસ ક્યાં છે. અર્થવ્યવસ્થા આ રીતે કેમ નષ્ટ થઈ ગઈ. રોજગાર ક્યાં ગયા. તમે જ કહો આની તપાસ થવી જોઈએ કે નહિ. કાળુ નાણુ ક્યાં ગયુ, કોની પાસે છે. આના માટે કાયદો બનાવ્યો પરંતુ કાળુ નાણુ ક્યાં છે. આ વાતની તપાસ થવી જોઈએ કે નહિ. કંપનીઓને વેચવાના વિરોધમાં તપાસ થવી જોઈએ કે નહિ. આજે આપણા પૈસા બેંકોમાં પણ સુરક્ષિત નથી, ઘરોમાં પણસુરક્ષિત નથી.'
તેમણે આગળ કહ્યુ, આજનો માહોલ એવો બની ગયો છે કે જ્યારે મરજી પડે ત્યારે કોઈ કલમ લગાવી દો કોઈ કલમ હટાવી દો. રાજ્યોના દરજ્જા બદલી દો. જ્યારે મરજી થાય રાષ્ટ્રપતિ શાસન હટાવી દો, કોઈ ચર્ચા વિના બિલ પાસ કરી દો. આ બંધારણ દિવસને મનાવવાનો દેખાડો કરે છે અને દરરોજ બંધારણની ધજિયા ઉડાવે છે. મોદી-શાહને આ વાતની પરવા નથી કે જે સીએબી કાયદો આ લાવ્યા છે તે ભારતની આત્માને તાર તાર કરી દેશે. જેવુ અસમ અને ઉત્તરપૂર્વા બાકીના રાજ્યોમાં થઈ રહ્યુ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
