માણિક સાહા બીજી વાર બનશે ત્રિપુરાના મુખ્યમંત્રી, શપથ સમારોહમાં મોદી-શાહ રહેશે હાજર
માણીક સાહા આજે અગતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં લગાતાર ત્રીપુરાના મુખ્યમંત્રી પદના શપથ લેશે
હાલમાં જ સંપન્ન થયેલ ત્રીપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એક વાર ફરી દમદાર વાપસી કરી છે. બીજેપીએ કુલ 60 બેઠકોમાથી 32 પર કબજો કરી લીધો છે. એવામાં બુધવારે માણિક સાહા ત્રિપુરાના મુખ્યમંત્રીના રૂપમાં બીજી વાર શપથ લેશે. સોમવારે ઘણા બીજેપી ધારાસભ્યો દલની બેઠક માણિક સાહાના નામ પર સહમતિ બની છે.

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને જીત બાદ માણિક સાહા બુધવારે બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા શામેલ થશે. મેગા શપથ ગ્રહણ સમારોહ અગરતલાા સ્વામી વિવેકાનંદ મેદાન આયોજિત કરવામાં આવ્યો છે. અમિત શાહ અને જેપી નડ્ડા મંગળવારે અગરતલા પહોચી ચૂક્યા છે.
રાજ્યપાલ સાથે કરી મુલાકાત
પદનાભિત મુખ્યમત્રી માણિક સાહાએ સોમવારે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય સાથે મુલાકાત કરી રાજ્યમાં સરકાર બનાવાનો દાવો રજુ કર્યો હતો. આ પહેલા સોમવારે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમા સર્વસમ્મતીથી ધારાસભ્ય દળના નેતા તરીકે માણિક સાહા ના નામના પ્રસ્તાવ પાસ કરવાામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
