શાહને સંઘની સલાહ, દિલ્હીમાં 'ગઠજોડની સરકાર' ના બનાવે ભાજપ
નવી દિલ્હી, 20 જુલાઇ: દિલ્હીમાં 'ગઠજોડની સરકાર' બનાવવાની કોશીશોમાં લાગેલી ભાજપને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે ભાજપને ફટકાર લગાવતા ચેતવ્યા છે કે આનાથી આખા દેશમાં ખોટો સંદેશ જશે. સૂત્રો અનુસાર, સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભાજપ અધ્યક્ષ અમિત શાહને સલાહ આપી છે કે એવું કોઇ પગલું ના ભરવામાં આવે જેનાથી લાગે કે પાર્ટી સત્તાની ભૂખી છે.
જોકે શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ નાગપુર સ્થિત સંઘ મુખ્યાલાયમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. ભાજપ અધ્યક્ષ બન્યા બાદ અમિત શાહ પહેલીવાર સંઘ પ્રમુખને મળ્યા. કહેવામાં આવી રહ્યું છે કે નાગપુરમાં થયેલી આ મુલાકાતમાં આગામી મહીનાઓમાં ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં સંઘના સમર્થનને લઇને ચર્ચા થઇ.
સંઘ પ્રમુખે પાર્ટી પ્રમુખ રણનીતિકાર શાહને સ્પષ્ટ કરી દીધું છે કે લોકસભા ચૂંટણીમાં આરએસએસે ભાજપનો ભરપૂર સહયોગ કર્યો હતો. સમર્થનનું કારણ હતું કે દેશ માટે મુશ્કેલીભર્યો સમય હતો, એવામાં એક મજબૂત અને નિર્ણાયક સરકારની દેશને જરૂરીયા હતી. સંઘે શાહને સલાહ આપી છે કે તેની પર નિર્ભર રહેવાને બદલે પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન આપવામાં આવે. સાથે જ ભાગવતે મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનને મજબૂત બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.