Mood Of The Nation Poll: પીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોણ, જાણો મોદી કયા નંબરે?
Mood Of The Nation Poll: પીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોણ, જાણો મોદી કયા નંબરે?
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન અધિનિયમ અને એનઆરસીને લઈ દેશભરમાં થઈ રહેલ પ્રદર્શનોને કારણે ભાજપને નુકસાન થઈ રહ્યું છે. CAA અને NRCના કારણે ભાજપને સીટનું નુકસાન થઈ શકે છે. ઈન્ડિયા ટુડે અને કાર્વી ઈનસાઈટ્સ દ્વારા કરાવવામાં આવેલ મૂડ ઑફ ધી નેશન સર્વે મુજબ જો જાન્યુઆરીમાં લોકસભા ચૂંટણઈ થઈ તો ભારતીય જનતા પાર્ટી અને એનડીએમાં સામેલ દળોને નુકસાન ઉઠાવવું પડી શકે છે. જ્યારે સીએએ અને એનઆરસી પર ભાજપથી લોકોની નારાજગીનો ફાયદો કોંગ્રેસને થતો દેખાઈ રહ્યો છે.
સીએએ પર લોકોના વિરોધ પ્રદર્શન અને નારાજગીની અસર જ્યાં ભાજપની લોકપ્રિયતા પર પડી છે ત્યાં જ પીએણની રેસમાં નરેન્દ્ર મોદી ફરી ટૉપ પર છે. પીએમ પદ માટે નરેન્દ્ર મોદી સૌથી વધુ 53 ટકા લોકોની પહેલી પસંદ બન્યા છે. લોકોએ ભાજપ સાથે નારાજગી જતાવી, પરંતુ મોદીને જ હજી પણ પીએમ પદ પર જોવા માગે છે. જ્યારે માત્ર 13 ટકા લોકોએ રાહુલ ગાંધીને પીએમ તરીકે પસંદ કર્યા છે. જ્યારે માત્ર 7 ટકા લોકોની પસંદ સાથે કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ સોનિયા ગાંધી ત્રીજા નંબરે છે. જ્યારે 4 ટકા લોકોની પસંદ સાથે અમિત શાહ ચોથા નંબર પર છે.
મૂડ ઑફ ધી નેશનના રિપોર્ટ મુજબ સીએએ અને એનઆરસીને લઈ મોદી સરકારની લોકપ્રિયતામાં ઘટાડો આવ્યો છે. સર્વે મુજબ જો આજે ચૂંટણી થાય છે તો ભાજપના નેતૃત્વવાળા એનડીએને ચૂંટણીમાં માત્ર 303 સીટ મળી શકે છે, અને જો માત્ર ભાજપની વાત કરીએ તો ભાજપ 303 સીટથી ઘટી 271 સીટ પર સમેટાતી દેખાઈ શકે છે. તેનો ફાયદો કોંગ્રેસને થશે.
Horoscope 24 જાન્યુઆરી: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ