મોરબી પુલ દૂર્ઘટનાના કારણે અરવિંદ કેજરીવાલે પોતાના તમામ કાર્યક્રમો કર્યા રદ
મોરબીની મચ્છુ નદી પર બનેલા ઝુલતો પુલ તૂટી પડયા બાદ 141 લોકોના થયેલા મોત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના બધા કાર્યક્રમો રદ કરી દીધા છે.
મોરબીની મચ્છુ નદી પર બનેલા ઝુલતો પુલ તૂટી પડયા બાદ 141 લોકોના થયેલા મોત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના બધા કાર્યક્રમો રદ કરી દીધા છે. કેજરીવાલે હરિયાણાના આદમપુરનો રોડ શો પણ કેન્સલ કરી દીધો છે. તેઓ આજે હરિયાણાના આદમપુરમાં પેટાચૂંટણી માટે રોડ શો કરવાના હતા. નોંધનીય છે કે આદમપુર વિધાનસભા સીટ કોંગ્રેસ એમએલએ કુલદીપ બિશ્નોઈએ રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા બાદ ખાલી પડી છે. રાજ્યમાં પંચાયત અને જિલ્લા પરિષદ ચૂંટણી યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટી જોરદાર ટક્કર આપી રહી છે.

તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દૂર્ઘટના બાદ કેજરીવાલે ટ્વિટ કર્યુ હતુ કે, 'ગુજરાતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મોરબીમાં પુલ તૂટી પડવાથી ઘણા લોકો નદીમાં પડી ગયા છે. હું તેમના જીવન અને આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરુ છુ.' ઉલ્લેખનીય છે કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જ પોતાની બે દિવસીય ગુજરાત મુલાકાત પૂરી કરી હતી.
તમને જણાવી દઈએ કે ગઈકાલે સાંજે બ્રિટિશ યુગનો પુલ ધરાશાયી થતાં મોરબીમાં ઓછામાં ઓછા 141 લોકોના મોત થયા હતા. જ્યારે અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.અન્ય લોકોની શોધ માટે ઓપરેશન ચાલુ છે. રાજ્યની રાજધાની અમદાવાદથી લગભગ 300 કિમી દૂર આવેલો આ પુલ રવિવારે સાંજે 6.42 વાગે તૂટી પડ્યો એ વખતે ત્યાં છઠ પૂજા માટે 500 લોકો એકઠા થયા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
