For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોરબી પુલ દૂર્ઘટનાના કારણે અરવિંદ કેજરીવાલે પોતાના તમામ કાર્યક્રમો કર્યા રદ

મોરબીની મચ્છુ નદી પર બનેલા ઝુલતો પુલ તૂટી પડયા બાદ 141 લોકોના થયેલા મોત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના બધા કાર્યક્રમો રદ કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

મોરબીની મચ્છુ નદી પર બનેલા ઝુલતો પુલ તૂટી પડયા બાદ 141 લોકોના થયેલા મોત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના બધા કાર્યક્રમો રદ કરી દીધા છે. કેજરીવાલે હરિયાણાના આદમપુરનો રોડ શો પણ કેન્સલ કરી દીધો છે. તેઓ આજે હરિયાણાના આદમપુરમાં પેટાચૂંટણી માટે રોડ શો કરવાના હતા. નોંધનીય છે કે આદમપુર વિધાનસભા સીટ કોંગ્રેસ એમએલએ કુલદીપ બિશ્નોઈએ રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા બાદ ખાલી પડી છે. રાજ્યમાં પંચાયત અને જિલ્લા પરિષદ ચૂંટણી યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટી જોરદાર ટક્કર આપી રહી છે.

kejriwal

તમને જણાવી દઈએ કે રવિવારે સાંજે મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દૂર્ઘટના બાદ કેજરીવાલે ટ્વિટ કર્યુ હતુ કે, 'ગુજરાતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મોરબીમાં પુલ તૂટી પડવાથી ઘણા લોકો નદીમાં પડી ગયા છે. હું તેમના જીવન અને આરોગ્ય માટે ભગવાનને પ્રાર્થના કરુ છુ.' ઉલ્લેખનીય છે કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જ પોતાની બે દિવસીય ગુજરાત મુલાકાત પૂરી કરી હતી.

તમને જણાવી દઈએ કે ગઈકાલે સાંજે બ્રિટિશ યુગનો પુલ ધરાશાયી થતાં મોરબીમાં ઓછામાં ઓછા 141 લોકોના મોત થયા હતા. જ્યારે અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.અન્ય લોકોની શોધ માટે ઓપરેશન ચાલુ છે. રાજ્યની રાજધાની અમદાવાદથી લગભગ 300 કિમી દૂર આવેલો આ પુલ રવિવારે સાંજે 6.42 વાગે તૂટી પડ્યો એ વખતે ત્યાં છઠ પૂજા માટે 500 લોકો એકઠા થયા હતા.

English summary
Morbi Bridge Collapse: Arvind Kejriwal cancels all his programs including road show in Haryana's Adampur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X