મુંબઈ: દર્દીની મૌત પછી પરિજનોએ ડોક્ટર પર હુમલો કર્યો
મુંબઇના નાયર હોસ્પિટલમાં દર્દીની સારવાર બાદ મૌત પછી તેમના પરિજનો ઘ્વારા ઉગ્ર વિરોધ થયો. મૃતકના સંબંધીઓએ નાયર હોસ્પિટલમાં નિવાસી ડોક્ટરો પર હુમલો કર્યો હતો. હકીકતમાં, ગંભીર રૂપે બિમાર રાજકિશોર દીક્ષિત (50) સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, જેના પછી તેમના પરિવારએ રવિવારની સાંજે ડોક્ટરો પર હૉસ્પિટલમાં હુમલો કર્યો હતો અને હોસ્પિટલની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તરત જ ડૉક્ટરોએ દર્દીને મૃત જાહેર કર્યા પછી લગભગ 13 થી 15 સંબંધીઓએ વોર્ડ નંબર 23 માં હંગામો શરુ કર્યો અને ડોકટરોનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું. તેમણે સુરક્ષા ગાર્ડ સાથે ત્રણ ડોકટરો પર પણ હુમલો કર્યો.
દર્દીની મૌત પછી પરિજનોએ ડોક્ટર પર હુમલો કર્યો
પરિવારએ હોસ્પિટલમાં હંગામો કર્યો અને હોસ્પિટલની મિલકતને નુકસાન પહોંચાડ્યું. મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસીડેન્ટ ડૉક્ટર્સના પ્રમુખ કલ્યાણી ડોંગરે ઘ્વારા જણાવ્યા મુજબ, મૃતકોના સંબંધીઓએ ડોક્ટરો પર હુમલો કરવા ઉપરાંત હોસ્પિટલની મિલકત પર પણ હુમલો કર્યો હતો. બીએમસીના નાયર હોસ્પિટલમાં નિવાસી ડોક્ટરો પરના હુમલાના કિસ્સામાં કેટલાક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં આવો જ એક મામલો સામે આવ્યો હતો. કોલકાતામાં એનઆરએસ મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ, તેના સંબંધીઓએ આ બનાવ બાદ બે ડૉક્ટરો પર હુમલો કર્યો હતો.
અમદાવાદઃ કાંકરિયામાં ડિસ્કવરી રાઈડ દૂર્ઘટનાનો શિકાર, 2ના મોત, 15 ઘાયલ