ભારત પર આતંકવાદનો ખતરો, હાફિજ સઇદે આતંકવાદીઓ સાથે કરી મુલાકાત
શ્રીનગર, 4 જાન્યુઆરી: ભારત આતંકના ઓથાર હેઠળ છે અને આતંકવાદની કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. આ વાતની પુષ્ટિ તેનાથી પણ થાય છે કે મુંબઇ હુમલા માસ્ટર માઇંડ અને ખૂંખાર આતંકવાદી હાફિજ સઇદે શનિવારે રાત્રે પાકિસ્તાનના કબજામાં કાશ્મીર એટલે કે પીઓકેમાં સુકલામ પોસ્ટ પર તે આતંકવાદીઓ સાથે મુલાકાત કરી જે ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે.
સૂત્રોના હવાલે મળતી માહિતી અનુસાર હાફિજ સઇદ આઠમાંથી દસ ગાડીઓના કાફલાની સાથે પીઓકેની સુકલામ પોસ્ટ પર પહોંચ્યો હતો. ઘટના શનિવારે રાત્રે લગભગ 7 વાગ્યાની છે, જ્યાં હાફિજ સઇદે લગભગ બે કલાક સુધી તે આતંકવાદી સાથે મુલાકાત કરી છે. એટલું જ નહી તેની સાથે એ પણ જોવા મળ્યું કે ત્યાં હાફિજ સઇદના સમર્થનમાં નારા પણ લગાવવામાં આવ્યા.
આઠથી દસ ગાડીઓમાં લગભગ 40 થી 50 લોકો સવાર હતા. આ બધા લોકો હથિયારોથી સજ્જ હતા. હાફિજ સઇદે ત્યાં પર પાકિસ્તાન રેંજર્સના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી. અત્રે ઉલ્લેખનીય છે કે હાફિજ સઇદ આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તોઇબાના ચીફ છે. તે મુંબઇના 26/11 હુમલાનો માસ્ટર માઇન્ડ છે. આ મામલે તેના પર કેસ ચાલે છે, પરંતુ તે ખુલ્લેઆમ ફરે છે.