મુંબઈમાં આસ્થા પર બુલડોઝર! 26 વર્ષ જૂનું દેરાસર BMCએ તોડી પાડ્યું, જૈન સમાજ ઉતર્યો રસ્તા પર
મુંબઈના વિલે પાર્લે ઈસ્ટના કામલીવાડી વિસ્તારમાં આવેલું 26 વર્ષ જૂનું શ્રી ૧૦૦૮ પાર્શ્વનાથ દિગંબર જૈન દેરાસર બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનાએ જૈન સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે, અને સમાજના લોકો રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
BMCએ દેરાસરને ગેરકાયદે બાંધકામ ગણાવી, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 16 એપ્રિલની સવારે નવ વાગ્યે તેને તોડી પાડ્યું હતું. આ દેરાસરનો મામલો છેલ્લા 20 વર્ષથી સીટી સિવિલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો.
સુપ્રીમ કોર્ટે દેરાસરના ટ્રસ્ટીઓને નીચલી કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરવા માટે આઠ દિવસનો સમય આપ્યો હતો, અને આ પ્રક્રિયા ચાલુ હતી. જોકે, BMCએ નોટિસ આપીને એક દિવસ પહેલાં જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી, જેનાથી જૈન સમાજમાં રોષ ફેલાયો.
ટ્રસ્ટી અનિલ બંડીએ જણાવ્યું, "અમે હાઈકોર્ટમાં રાહત મેળવવા માટે ગયા હતા, પરંતુ સુનાવણી પહેલાં જ BMCએ દેરાસર તોડી પાડ્યું. આશરે 300-400 લોકોની આસ્થાનું પ્રતીક એવું આ દેરાસર હતું. અમે કાયદાકીય રીતે આગળ લડીશું અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરીશું."
દેરાસર તોડવાની કાર્યવાહી દરમિયાન શ્રાવકોએ વિરોધ કર્યો, જેમાં અફડાતફડીની સ્થિતિ સર્જાઈ. કેટલાક શ્રાવકોને પોલીસ સાથેની ધક્કામુક્કીમાં ઈજા પણ થઈ. અખિલ ભારતીય જૈન અલ્પસંખ્યક મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ લલિત ગાંધીએ આ ઘટનાનો તીવ્ર વિરોધ કર્યો અને કહ્યું, "આ દેરાસર જૈન સમાજની આસ્થાનું કેન્દ્ર હતું. BMCની આ કાર્યવાહી ન્યાયની વિરુદ્ધ છે."

19 એપ્રિલના રોજ જૈન સમાજે મુંબઈના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું. શ્રાવકોએ નારાબાજી કરી અને BMCની કાર્યવાહીને "અન્યાયી" ગણાવી. સમાજના લોકોએ જણાવ્યું, "અમે નબળા નથી, અમે ફરીથી ત્યાં દેરાસર બનાવીશું."
BMCના અધિકારીઓએ દાવો કર્યો કે દેરાસરની જગ્યા ગેરકાયદે હોવાનું કોર્ટે નોંધ્યું હતું, અને તોડકામ પર કોઈ સ્ટે ઓર્ડર ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ, ટ્રસ્ટીઓએ આરોપ લગાવ્યો કે BMCએ એક સ્થાનિક ડેવલપરને ફાયદો પહોંચાડવા માટે આ ડિમોલિશન કર્યું. તેમણે આ મામલે હાઈકોર્ટમાં ફરી અરજી કરવાની વાત કરી છે.
જૈન સમાજે આ ઘટના સામે કાયદાકીય લડાઈ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સમાજના આગેવાનોએ સરકાર અને BMCને આ મામલે ન્યાય આપવાની માગ કરી છે. આ ઘટનાએ મુંબઈમાં જૈન સમાજની એકતાને પણ દર્શાવી છે, જે પોતાની આસ્થાના રક્ષણ માટે એકજૂટ થયો છે.
આ મામલે હાઈકોર્ટમાં આગામી સુનાવણીની રાહ જોવાઈ રહી છે, જે આ ઘટનાને નવું વળાંક આપી શકે છે.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
