કોરોનાની અસર, આ વખતે નહિ સજે લાલબાગ ચા રાજાનો દરબાર
કોરોનાના તાંડવને જોતા વિશ્વ પ્રસિદ્દ 'લાલબાગ ચા રાજા' ગણપતિ મંડળે ગણેશ ઉત્સવ ન મનાવવાનુ એલાન કર્યુ છે.
કોરોનાના તાંડવને જોતા વિશ્વ પ્રસિદ્દ 'લાલબાગ ચા રાજા' ગણપતિ મંડળે ગણેશ ઉત્સવ ન મનાવવાનુ એલાન કર્યુ છે. 84 વર્ષમાં આવુ પહેલી વાર થશે જ્યારે લાલબાગના રાજની પ્રતિમાની સ્થાપના નહિ થાય. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થી પર દર વર્ષે લાલબાગના રાજાનો દરબાર સજાવવામાં આવે છે અને ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. જેમના દર્શન માટે કરોડોની સંખ્યામાં ભક્તો પહોંચે છે. સામાન્યથી લઈને ખાસ સુધી બધા બાપ્પાના દરબારમાં માથુ ટેકવવા આવે છે.

આ વખતે વાત કરતા લાલબાગ ચા રાજા ગણપતિ મંડળે કહ્યુ કે આ વખતે અમે પ્રતિભા સ્થાપિત નહિ કરીએ પરંતુ તેની જગ્યાએ બ્લડ અને પ્લાઝમા દાન શિબિર લગાવવામાં આવશે. વાસ્તવમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બધા મંડળોને આદેશ આપ્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ દર વર્ષની જેમ મનાવવામાં આવે અને ગણપતિની મૂર્તિની ઉંચાઈ 4 ફૂટ સુધી જ રાખવામાં આવે.
ગણપતિની લંબાઈ ઘટાડી શકાય નહિ
જેના પર મંડળે કહ્યુ કે ગણપતિની લંબાઈ ઘટાડી શકાય નહિ. મૂર્તિ નાની હોય કે મોટી પરંતુ ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવશે. અમે બાપ્પાની મરજી સમજીને ના તો આ વખતે મૂર્તિ સ્થાપિત કરીશુ અને ના વિસર્જન કરીશુ. તમને જણાવી દઈએ કે મુંબઈમાં સૌથી વધુ દાન લાલબાગ ચા દરબારને જ મળે છે અને કરોડોનો ચઢાવો આવે છે. ઉલ્લેખનીય છે કે ગણેશ ઉત્સવની શરૂઆત અહીં લાલબાગ ગંગાધર તિલકે ત્યારે કરી હતી જ્યારે દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો. સન 1934થી દર વર્ષે મુંબઈના લાલબાગ વિસ્તારમાં લાલ બાગના રાજાની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે.
Mumbai's Lalbaughcha Raja Ganeshotsav Mandal has decided not to hold Ganeshotsav this time in wake of #COVID19 pandemic. A blood & plasma donation camp will be set up in its place: Lalbaughcha Raja Ganeshotsav Mandal (in the picture - last year's Ganpati idol at Lalbaughcha Raja) pic.twitter.com/1FiHg68QAX
— ANI (@ANI) July 1, 2020
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ









Click it and Unblock the Notifications
