જાણો નરેન્દ્ર મોદી અને ઓ. પનેરસેલ્વમ વચ્ચે શું છે સમાનતા
નવી દિલ્હી: મુખ્યમંત્રીની ખુરશી છોડ્યા બાદ જે જયલલિતાએ પોતાના સૌથી વિશ્વાસુ. ઓ. પનેરસેલ્વમ પર વિશ્વાસ મુક્યો છે. તે તમિલનાડુના નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી. ઓ. પનેરસેલ્વમની છબિ થોડી નરેન્દ્ર મોદી સાથે મળે છે. બંને ખૂબ નાના કદમાંથી રાજકારણમાં આવનાર વ્યક્તિ છે.
જે પ્રકારે નરેન્દ્ર મોદી ક્યારેય ગુજરાતના પ્લેટફોર્મમાં ચા વેચતા હતા તે પ્રકારે પનેરસેલ્વમ પણ ચાની દુકાન ચલાવતા હતા. ખેડૂત પરિવારમાં જન્મેલા તમિલનાડુના નાણામંત્રી ઓ. પનેરસેલ્વમ પ્રદેશના આગામી મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે. હાલ તેમની ચાની દુકાનને તેમના સંબંધી ચલાવે છે.
જયલલિતાના વિશ્વાસપાત્ર ઓ. પનેરસેલ્વમ ઓપીએસના નામથી રાજકારણમાં ઓળખાય છે. 63 બસંત જોઇ ચૂકેલા ઓ. પનેરસેલ્વમ બોડિનાયકન્નૂર વિધાનસભામાંથી ચૂંટાઇને આવ્યા છે. તેમનું વતન જપદ થેની છે. તેમનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. કહેવામાં આવે છે કે તેમને આર્થિક તંગીના કારણે પોતાનો ગ્રેજ્યુએશનનો અભ્યાસ અધવચ્ચે છોડી મુક્યો હતો. આ પ્રકારના દિવસો 2001માં પણ જયલલિતાને જોવા પડ્યા હતા તે સમયે પણ તેમણે ઓ. પનેરસેલ્વમ પર વિશ્વાસ મુક્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 2001માં સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ જયલલિતાને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું ત્યારે તેમણે પોતાની મુખ્યમંત્રીની ખુરશી પર ઓ. પનેરસેલ્વમને બેસાડ્યા હતા જો કે તે માત્ર એક વર્ષ માટે જ પોતાના પદ પર રહ્યાં હતા. ઓ. પનેરસેલ્વમ શપથ પહેલાં નાણામંત્રીની જવાબદારી સંભાળી રહ્યાં હતા.

શનિવારે તમિલનાડુની મુખ્યમંત્રીને બેંગ્લોરની એક કોર્ટે ચાર વર્ષની સજા અને 100 કરોડનો દંડ ફટકાર્યો. કોર્ટે આ ચૂકાદા બાદ તેમને પોતાનું પદ છોડવું પડ્યું. તેમના પદ ત્યાગ બાદ જ ઓ. પનેરસેલ્વમના કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા. અને બિલકુલ એવું જ થયું. જયલલિતાને ખબર છે કે તેમના જેલ ગયા બાદ જો રાજ્યને કોઇ સંભાળી શકે છે તો તે ઓ. પનેરસેલ્વમ જ છે. તેનો એક નજારો તેમણે 2001માં જોઇ લીધો હતો.
જયલલિતા જાણે છે કે તેમની સરકારને કોઇ ખતરો નથી. 234 સભ્યોવાળી વિધાનસભામાં એઆઇડીએમકે પાસે 150 સીટો છે. તે બહૂમતમાં છે એટલા માટે સરકારને કોઇ હલાવી ન શકે. તો બીજી તરફ જો લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો પ્રદેશની 39 લોકસભા સીટોમાંથી 37 સીટો પર જયલલિતાની પાર્ટીએ જીત નોંધાવી હતી ત્યારબાદ તેમનું કદ રાષ્ટ્રીય રાજકારણમાં વધી ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તમિલનાડુની મુખ્યમંત્રી જે. જયલલિતાને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં સજા સંભળાવવામાં આવી છે. જ્યારે તેમણે પહેલીવાર મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું તો તેમની પાસે માત્ર ત્રણ કરોડની સંપત્તિ હતી તે પાંચ વર્ષમાં વધીને 66 કરોડ થઇ ગઇ હતી. તેમના વિરૂદ્ધ તત્કાલિન જનતા પાર્ટીના નેતા જે અત્યારે ભાજપમાં છે સુબ્રમણ્યમ સ્વામીએ કેસ દાખલ કરાવ્યો હતો.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
