લોકસભાના પ્રથમ સત્રની તારીખ નક્કી કરવા મોદી કેબિનેટની આજે બેઠક
નવી દિલ્હી, 28 મે : દેશની 16મી લોકસભાના પહેલા સત્રની તારીખ નક્કી કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં એ નક્કી કરવામાં આવશે કે સંસદનું નવું સત્ર ક્યારથી શરૂ કરવામાં આવે. ધારણા કરવામાં આવી રહી છે કે સંસદનું સત્ર જૂનના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે.
નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ કેબિનેટ બેઠક મંગળવારે બોલાવી હતી. આ બેઠકમાં કાળા નાણાને મુદ્દે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. વાયદા અનુસાર મોદી સરકારે આ મુદ્દે એસઆઇટી બનાવવાનું એલાન કર્યું હતું.

નવગઠિત લોકસભાનું પ્રથમ સત્ર જૂનના પ્રથમ સપ્તાહમાં આરંભ થવાની સંભાવના છે. આજે કેબિનેટની બેઠકમાં તેની તારીખને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી સંભાવના છે. નવા કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે મંગળવારે કેબિનેટની પ્રથમ બેઠક બાદ જણાવ્યું હતું કે વડાપ્રધાને પોતાની સરકારના પ્રથમ દિવસે જ સંપૂર્ણ જોશ સાથે કામ શરૂ કરી દીધું છે.
તેમણે પત્રકારોને જણાવ્યું કે બુધવારે બીજી બેઠક યોજશે. જેમાં સંસદનું બજેટ સત્ર સહિત વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે. નવું સત્ર જૂનના પ્રથમ સપ્તાહમાં મળવાની શક્યતા છે. જેમાં લોકસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવે એવી સંભાવના છે. આ ઉપરાંત નવા સભ્યોને શપથ અપાવવામાં આવશે. ત્યાર બાદ એક વિરામ લઇને બીજા તબક્કામાં સામાન્ય બજેટ અને રેલ બજેટ રજૂ કરવામાં આવશે.
પૂર્વવર્તી યુપીએ સરકારે ફેબ્રુઆરી 2014-15 માટે અંતિમ બજેટ રજૂ કર્યું હતું. જેમાં આ મહિનાના અંત સુધીના ખર્ચની જોગવાઇ કરવામાં આવી હતી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
