નરેન્દ્ર મોદી માટે નીતિશ કુમારને મનાવશે બાબા રામદેવ
નવી દિલ્હી, 5 જૂન : પોતાની જ પાર્ટીમાં ચારેય બાજુથી પ્રહારોનો સામનો કરી રહેલા નરેન્દ્ર મોદી માટે હવે યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં નારદમૂનીનું કામ કરશે. મંગળવારે નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફ્રેન્સમાં બાબા રામદેવે ખુલીને જાહેરાત કરી દીધી કે તે 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં પ્રચાર કરશે.
સાથે તેમણે એ પણ કહ્યું કે એનડીએની તરફથી મોદીને પીએમ કેન્ડિડેટ બનાવવા માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ મનાવી લેશે. આ ઉપરાંત એક ચેનલની સાથે ઇન્ટર્વ્યૂમાં મોદી પર લાગેલા ગુજરાત રમખાણના દાગને રામદેવે તદ્દન ખોટા ગણાવ્યા. તેમણે જણાવ્યું કે દેશના ભાગલા સમયે લગભગ દસ લાખ લોકો નું કત્લેઆમ થયું હતું, શું તેના માટે તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત નેહરુ જવાબદાર છે? જો એ કત્લેઆમ માટે નેહરુ જવાબદાર નથી તો પછી ગુજરાત રમખાણો માટે મોદીને કેવી રીતે જવાબદાર ગણી શકાય?
આ પણ વાંચો : રાજીવ-મોદી વચ્ચે ભેદ કેમ?
બાબા રામદેવે એબીપી ન્યૂઝની સાથે ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે કોંગ્રેસની વિદાઇમાં જ દેશની ભલાઇ છે. કોંગ્રેસ ઘોટાળાની સરકાર છે. મોદી જ એક એવા વ્યક્તિ છે જે દેશમાં વ્યવસ્થા પરિવર્તન કરી શકે છે. તેમણે જણાવ્યું કે આખો દેશ મોદીને પ્રેમ કરે છે. તેના નામ પર સહમતિ બનવી જોઇએ. કોંગ્રેસની સરકારને તેઓ જડમૂળમાંથી ઉખાડી શકે તેમ છે.
બાબા રામદેવે કહ્યું કે મોદી એક સાધારણ પરિવારમાંથી આવીને અસાધારણ કામ કર્યું છે. તેઓ અભાવોની વચ્ચે જન્મ લઇને અસાધારણ કાર્ય કર્યું છે. તેમના જીવનનો અનુભવ દેશને કામ લાગશે. બાબા રામદેવે જણાવ્યું કે તે મોદીને એનડીએ તરફથી પીએમ કેન્ડિડેટ જાહેર કરવા માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ મનાવશે. તેમણે કહ્યું કે હું નીતિશ કુમારને પસંદ કરું છું અને તેઓ મારી વાતને ટાળશે નહીં. દેશ હિતમાં નીતિશ મારી વાત જરૂર માનશે.
આ પહેલા પ્રેસ કોન્ફ્રેન્સમાં નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરતા તેમણે જણાવ્યું કે દેશની જનતા તેમની સાથે છે અને માત્ર તેઓ જ સ્થાઇ સરકાર બનાવવા માટે સક્ષમ છે. રામદેવ કહ્યું કે કોંગ્રેસની નીતિથી જનતા પરેશાન છે અને લોકોની આશા મોદી પર ટકેલી છે. તેમણે ત્રીજા મોર્ચા પર ટિપ્પણી કરતા જણાવ્યું કે કેટલાક પક્ષો દિવસમાં પણ સપનાઓ જુએ છે.
રામદેવે પોતાની રણનીતિનો ખુલાસો કરતા કહ્યું કે તે ચૂંટણી પહેલા મોટું આંદોલન કરશે, જેથી દેશની જનતાને જાગૃત કરી શકાય. બાબાએ ખુલાસો કરી દીધો કે તેઓ ચૂંટણીમાં ખુલીને નરેન્દ્ર મોદી અને બીજેપીના પક્ષમાં જ પ્રચાર કરશે. રામદેવે કહ્યું કે ગયા વર્ષે તેના આંદોલનને દબાઇ દેવામાં આવ્યું હતું, પરંતુ આ જુલાઇમાં રામલીલા મેદાન કરતા પણ મોટું આંદોલન છેડશે.
રામદેવ નરેન્દ્ર મોદીના પક્ષમાં પ્રચાર કરશે
પોતાની જ પાર્ટીમાં ચારેય બાજુથી પ્રહારોનો સામનો કરી રહેલા નરેન્દ્ર મોદી માટે હવે યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં નારદમૂનીનું કામ કરશે. મંગળવારે નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફ્રેન્સમાં બાબા રામદેવે ખુલીને જાહેરાત કરી દીધી કે તે 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં પ્રચાર કરશે.
ગુજરાત રમખાણો માટે મોદી જવાબદાર નથી
સાથે તેમણે એ પણ કહ્યું કે એનડીએની તરફથી મોદીને પીએમ કેન્ડિડેટ બનાવવા માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ મનાવી લેશે. આ ઉપરાંત એક ચેનલની સાથે ઇન્ટર્વ્યૂમાં મોદી પર લાગેલા ગુજરાત રમખાણના દાગને રામદેવે તદ્દન ખોટા ગણાવ્યા.
રમખાણો માટે નેહરુ પણ એટલા જ જવાબદાર
તેમણે જણાવ્યું કે દેશના ભાગલા સમયે લગભગ દસ લાખ લોકો નું કત્લેઆમ થયું હતું, શું તેના માટે તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત નેહરુ જવાબદાર છે? જો એ કત્લેઆમ માટે નેહરુ જવાબદાર નથી તો પછી ગુજરાત રમખાણો માટે મોદીને કેવી રીતે જવાબદાર ગણી શકાય?
આખો દેશ મોદીને પ્રેમ કરે છે
બાબા રામદેવે એબીપી ન્યૂઝની સાથે ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે કોંગ્રેસની વિદાઇમાં જ દેશની ભલાઇ છે. કોંગ્રેસ ઘોટાળાની સરકાર છે. મોદી જ એક એવા વ્યક્તિ છે જે દેશમાં વ્યવસ્થા પરિવર્તન કરી શકે છે. તેમણે જણાવ્યું કે આખો દેશ મોદીને પ્રેમ કરે છે. તેના નામ પર સહમતિ બનવી જોઇએ. કોંગ્રેસની સરકારને તેઓ જડમૂળમાંથી ઉખાડી શકે તેમ છે.
મોદીના જીવનનો અનુભવ દેશને કામ લાગશે
બાબા રામદેવે કહ્યું કે મોદી એક સાધારણ પરિવારમાંથી આવીને અસાધારણ કામ કર્યું છે. તેઓ અભાવોની વચ્ચે જન્મ લઇને અસાધારણ કાર્ય કર્યું છે. તેમના જીવનનો અનુભવ દેશને કામ લાગશે.
દેશ હિતમાં નીતિશ મારી વાત જરૂર માનશે
બાબા રામદેવે જણાવ્યું કે તે મોદીને એનડીએ તરફથી પીએમ કેન્ડિડેટ જાહેર કરવા માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ મનાવશે. તેમણે કહ્યું કે હું નીતિશ કુમારને પસંદ કરું છું અને તેઓ મારી વાતને ટાળશે નહીં. દેશ હિતમાં નીતિશ મારી વાત જરૂર માનશે.
લોકોની આશા મોદી પર ટકેલી છે
આ પહેલા પ્રેસ કોન્ફ્રેન્સમાં નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરતા તેમણે જણાવ્યું કે દેશની જનતા તેમની સાથે છે અને માત્ર તેઓ જ સ્થાઇ સરકાર બનાવવા માટે સક્ષમ છે. રામદેવ કહ્યું કે કોંગ્રેસની નીતિથી જનતા પરેશાન છે અને લોકોની આશા મોદી પર ટકેલી છે. તેમણે ત્રીજા મોર્ચા પર ટિપ્પણી કરતા જણાવ્યું કે કેટલાક પક્ષો દિવસમાં પણ સપનાઓ જુએ છે.
ચૂંટણી પહેલા મોટું આંદોલન કરીશ
રામદેવે પોતાની રણનીતિનો ખુલાસો કરતા કહ્યું કે તે ચૂંટણી પહેલા મોટું આંદોલન કરશે, જેથી દેશની જનતાને જાગૃત કરી શકાય. બાબાએ ખુલાસો કરી દીધો કે તેઓ ચૂંટણીમાં ખુલીને નરેન્દ્ર મોદી અને બીજેપીના પક્ષમાં જ પ્રચાર કરશે. રામદેવે કહ્યું કે ગયા વર્ષે તેના આંદોલનને દબાઇ દેવામાં આવ્યું હતું, પરંતુ આ જુલાઇમાં રામલીલા મેદાન કરતા પણ મોટું આંદોલન છેડશે.