બિહાર માટે નરેન્દ્ર મોદી કોઇ મુદ્દો નથી: નિતિશ
નવી દિલ્હી, 8 ઓગષ્ટ: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. નવી દિલ્હીમાં એક ન્યૂઝ ચેનલ પર આયોજિત ચર્ચામાં નિતિશ કુમારે કહ્યું હતું કે 'તે વ્યક્તિ જ દેશ ચલાવી શકે છે, જે બધાને સાથે લઇને ચાલે. જો કે કેટલાક લોકો દિવસમાં પણ વડાપ્રધાન બનવાના સપના જોવા લાગ્યા છે.
2014ની લોકસભાની ચૂંટણીમાં મોદી ફેક્ટર વિશે પૂછવામાં આવ્તાં એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું હતું કે 'અમે ક્યારેય કોઇ વ્યક્તિની વાતની વાત નથી કરતા. પરંતુ તમે જે વિશે વાત કરી રહ્યાં છો તે બિહારમાં કોઇ મુદ્દો જ નથી. બિહારમાં ચૂંટણી દરમિયાન વિકાસનો મુદ્દો હશે. પરિણામ જાહેર થતાં તમારી બેચેની દૂર થઇ જશે. 'વિકાસના ગુજરાત વર્સીસ બિહાર મોડલ' પર ચર્ચામાં સામેલ થવાની મનાઇ કરતાં નિતિશ કુમારે કહ્યું હતું કે 2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી તેમના રાજ્યમાં કોઇ મુદ્દો જ નહી હોય.

તેમને કહ્યું હતું કે જો કેન્દ્ર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે તો તેનાથી યૂપીએને ફાયદો થશે. નિતિશ કુમારની પાર્ટી જેડીયૂએ ભાજપ સાથે 17 જૂનું ગઠબંધન તોડી દિધું છે. જો કે નિતિશ કુમારે આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળી દિધું હતું કે તેમની પાર્ટી 2014માં કોંગ્રેસ નીત સરકારને બહારથી સમર્થન આપશે. તેમને જવાબમાં કહ્યું હતું કે આ કાલ્પનિક પ્રશ્ન છે.
તેમને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કરવામાં આવે તો શું તે 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારને સમર્થન કરશે. આ મુદ્દે નિતિશ કુમારે કહ્યું હતું કે આ માંગણી કેન્દ્ર સરકાર પાસે છે. અત્યારે તો યૂપીએ છે જે વિશેષ દરજ્જો આપવાની સ્થિતિમાં છે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
