...મોદીજી, નવાઝ શરીફને એ 26 મે પણ યાદ અપાવજો...
અમદાવાદ, 26 મે : નરેન્દ્ર મોદીએ 26 મે, 2014ના રોજ ભારતના નવા વડેપ્રધાન તરીકે શપથ લીધા છે. આ શપથ સમારોહમાં શુભેચ્છા પાઠવવા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પણ ભારત પહોંચી ગયા છે. કારગીલ યુદ્ધ બાદ આ પ્રથમ અવસર છે કે નવાઝ શરીફ ભારત આવ્યા છે.
આવી સ્થિતિમાં તેમની ભારતની મુલાકાત સ્વયંમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ મુલાકાત અને આજનો દિવસ પણ 26 તારીખના ઇતિહાસમાં મહત્વના બની ગયા છે.
આવી સ્થિતિમાં આપણે આપણા નવા વડાપ્રધાન પાસે એક અપેક્ષા ચોક્કસ રાખીએ છીએ કે આવતી કાલે એટલે કે 27 મેના રોજ નરેન્દ્ર મોદી જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે બેઠક યોજે ત્યારે તેમને એ 26 મેની યાદ ચોક્કસ અપાવે જ્યારે વર્ષ 1999માં કારગીલ યુદ્ધની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી.

ભારત પાકિસ્તાનના સંબંધોમાં 26 તારીખ પીડાકારક
આમ તો ભારત પાકિસ્તાનના સંબંધોમાં 26 તારીખનો સંબંધ ખૂબ ખાસ છે. 26 તારીખ એવી તારીખ છે જેણે વારંવાર ભારતને દુ:ખ આપ્યું છે. દરેક 26 તારીખે ભારત પર જે પ્રકોપ ઉતર્યો છે તે પાછળ પાકિસ્તાનનો હાથ રહ્યો છે. તેમાંથી ત્રણ 26 તારીખનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે.

26 મે, 1999 : કારગીલ યુદ્ધમાં ઓપરેશન સફેદ સાગર શરૂ
15 વર્ષ પહેલા 26 મે, 1999ના રોજ ઇન્ડિયન એર ફોર્સ તરફથી કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાની મદદ માટે ઓપરેશન સફેદ સાગરનો આરંભ કરવામાં આવ્યો. આ સાથે જ બંને દેશો વચ્ચે શરૂ થયેલું યુદ્ધ વિશ્વ સમક્ષ છતું થયું. આજે પણ નવાઝ શરીફ કારગીલ યુદ્ધ પર વાત કરતા ખચકાય છે.

26 જુલાઇ, 2008 : અમદાવાદમાં સીરિયલ બ્લાસ્ટ
26 જુલાઇ, 2008ના રોજ અમદાવાદમાં 70 મિનીટની અંદર 21 સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 56 લોકોના મોત અને 200થી વધારે ઘવાયા હતા. તે પાછળ ઇન્ડિયન મુજાહિદ્દીનનો હાથ હતો.

26 નવેમ્બર, 2008 : મુંબઇમાં આતંકવાદી હુમલો
આ એક એવી તવારીખ છે જે અંગે વર્ષ 2013માં નવાઝ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ જવાબ આપ્યો ન હતો. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઇમાં આતંકવાદી હુમલો થયો જેમાં 150થી વધારે લોકોના મોત અને અનેક ઘાયલ થયા હતા.
2013માં જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા ત્યારે તેમને હાફિઝ શઇદ અંગે માહિતી માંગી ત્યારે શરીફે તેમને જવાબ આપવાનું ટાળ્યું હતું.
ભારત પાકિસ્તાનના સંબંધોમાં 26 તારીખ પીડાકારક
આમ તો ભારત પાકિસ્તાનના સંબંધોમાં 26 તારીખનો સંબંધ ખૂબ ખાસ છે. 26 તારીખ એવી તારીખ છે જેણે વારંવાર ભારતને દુ:ખ આપ્યું છે. દરેક 26 તારીખે ભારત પર જે પ્રકોપ ઉતર્યો છે તે પાછળ પાકિસ્તાનનો હાથ રહ્યો છે. તેમાંથી ત્રણ 26 તારીખનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે.
26 મે, 1999 : કારગીલ યુદ્ધમાં ઓપરેશન સફેદ સાગર શરૂ
15 વર્ષ પહેલા 26 મે, 1999ના રોજ ઇન્ડિયન એર ફોર્સ તરફથી કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાની મદદ માટે ઓપરેશન સફેદ સાગરનો આરંભ કરવામાં આવ્યો. આ સાથે જ બંને દેશો વચ્ચે શરૂ થયેલું યુદ્ધ વિશ્વ સમક્ષ છતું થયું. આજે પણ નવાઝ શરીફ કારગીલ યુદ્ધ પર વાત કરતા ખચકાય છે.
26 જુલાઇ, 2008 : અમદાવાદમાં સીરિયલ બ્લાસ્ટ
26 જુલાઇ, 2008ના રોજ અમદાવાદમાં 70 મિનીટની અંદર 21 સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 56 લોકોના મોત અને 200થી વધારે ઘવાયા હતા. તે પાછળ ઇન્ડિયન મુજાહિદ્દીનનો હાથ હતો.
26 નવેમ્બર, 2008 : મુંબઇમાં આતંકવાદી હુમલો
આ એક એવી તવારીખ છે જે અંગે વર્ષ 2013માં નવાઝ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ જવાબ આપ્યો ન હતો. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઇમાં આતંકવાદી હુમલો થયો જેમાં 150થી વધારે લોકોના મોત અને અનેક ઘાયલ થયા હતા.
2013માં જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા ત્યારે તેમને હાફિઝ શઇદ અંગે માહિતી માંગી ત્યારે શરીફે તેમને જવાબ આપવાનું ટાળ્યું હતું.
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો










Click it and Unblock the Notifications
