ખેડૂતોની આત્મહત્યા મુદ્દે મોદીએ કોંગ્રેસને લીધી બાનમાં
વર્ધા, 20 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી એ મહારાષ્ટ્રના વર્ધાથી એક વાર ફરી કોંગ્રેસને લલકાર્યું છે. તેમણે વર્ધામાં ખેડૂતો દ્વારા આત્મહત્યાના મામલાને ઉઠાવ્યું અને જણાવ્યું કે આતંકી હુમલામાં એટલા જવાન નથી માર્યા ગયા જેટલા અહીં ખેડૂતોએ આત્મહત્યા કરી છે. દેશમાં ખેડૂત વગર વાંકે મરવા માટે મજબૂર બની રહ્યો છે. તેનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારની નીતિયો છે.
આજે નવી પેઢી ખેતીમાં આવતા ડરે છે. જો હિન્દુસ્તાનની કૃષિ બર્બાદ થઇ ગઇ, હિન્દુસ્તાનના ખેતરો બર્બાદ થઇ ગયા તો સવા સૌ કરોડ લોકોનું પેટ કેવી રીતે ભરાશે. ત્યારે દેશ વિદેશમાંથી અનાજ આયાત કરવું પડશે. ત્યારે અન્ય દેશ મનમાની કરશે. દેશના સન્માન અને સ્વાભિમાનને બચાવવાનું કામ ખેડૂતનું છે. ખેડૂત માતાપિતાની હાલત જોઇને યુવાનો વિચારે છે કે આના કરતા તો શહેરોમાં જઇને મજદૂરી કરી લેવી સારી. આજે જ્યારે ટ્યૂબવેલમાં બાળક પડી જાય છે તો દેશભરના કેમેરા ત્યાં આવી જાય છે, સરકારના હોશ ઊડી જાય છે. પરંતુ હજારો ખેડૂત મરી જાય છે ત્યારે કોઇને તેમની ફિકર નથી હોતી.
મોદીનું સંપૂર્ણ ભાષણ ખેડૂત, કૃષિ અને ખેડૂતોના આત્મહત્યાના મુદ્દા પર રહ્યું, અને તેને પગલે મોદીએ કેન્દ્રની યૂપીએ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. જુઓ વીડિયોમાં મોદીના કોંગ્રેસ પર પ્રહાર...

મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
આજે નવી પેઢી ખેતીમાં આવતા ડરે છે. જો હિન્દુસ્તાનની કૃષિ બર્બાદ થઇ ગઇ, હિન્દુસ્તાનના ખેતરો બર્બાદ થઇ ગયા તો સવા સૌ કરોડ લોકોનું પેટ કેવી રીતે ભરાશે. ત્યારે દેશ વિદેશમાંથી અનાજ આયાત કરવું પડશે. ત્યારે અન્ય દેશ મનમાની કરશે. દેશના સન્માન અને સ્વાભિમાનને બચાવવાનું કામ ખેડૂતનું છે.

મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
ખેડૂત માતાપિતાની હાલત જોઇને યુવાનો વિચારે છે કે આના કરતા તો શહેરોમાં જઇને મજદૂરી કરી લેવી સારી.

મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
આજે જ્યારે ટ્યૂબવેલમાં બાળક પડી જાય છે તો દેશભરના કેમેરા ત્યાં આવી જાય છે, સરકારના હોશ ઊડી જાય છે. પરંતુ હજારો ખેડૂત મરી જાય છે ત્યારે કોઇને તેમની ફિકર નથી હોતી.

મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું, અને જણાવ્યું હતું કે બેંક અમીરોના કામમાં આવે છે. ગરીબો માટે પણ કામમાં આવવા જોઇએ. બેંકોની લોન મળવી જોઇએ, સહાયતા મળવી જોઇએ. વર્તમાનમાં બેંકોના કારોબારનું માત્ર પાંચ ટકા કિસાનો માટે આવે છે, બાકી મોટા ખારખાના-ફેક્ટ્રી લગાવનાર માલિકોના ઉપયોગમાં આવે છે.

મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
નાના નાના પરિવર્તનો કરવા જ ભાજપનું સંકલ્પ છે. અમે ખેડૂતની આવક વધારવા માંગીએ છીએ.તેના માટે ખેડૂતને મજબૂતી પ્રદાન કરવી અમારૂ લક્ષ્ય છે.

મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
જય જવાન, જય કિસાનનો નારો આપનાર સરકારોએ ખેડૂતો માટે કંઇ કર્યું નહીં, અને જવાનોની સુરક્ષા માટે પણ કંઇ કરી શકી નહી.

મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
હું શહજાદાને પૂછવા માગુ છું કે આપના પિતાજીએ જણાવ્યું હતું કે દિલ્હીથી એક રૂપિયો નિકળે છે જે ગામડામાં આવતા આવતા 15 પૈસા થઇ જાય છે. દેશની જનતા જાણવા માગે છે કે આખરે કયો પંજો છે જે દેશના રૂપિયાને ખાઇ જાય છે.
નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ભાષણ જુઓ વીડિયોમાં...
મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું, નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ભાષણ જુઓ વીડિયોમાં...
-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું












Click it and Unblock the Notifications
