વર્ધા, 20 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી એ મહારાષ્ટ્રના વર્ધાથી એક વાર ફરી કોંગ્રેસને લલકાર્યું છે. તેમણે વર્ધામાં ખેડૂતો દ્વારા આત્મહત્યાના મામલાને ઉઠાવ્યું અને જણાવ્યું કે આતંકી હુમલામાં એટલા જવાન નથી માર્યા ગયા જેટલા અહીં ખેડૂતોએ આત્મહત્યા કરી છે. દેશમાં ખેડૂત વગર વાંકે મરવા માટે મજબૂર બની રહ્યો છે. તેનું મુખ્ય કારણ કેન્દ્ર સરકારની નીતિયો છે.
આજે નવી પેઢી ખેતીમાં આવતા ડરે છે. જો હિન્દુસ્તાનની કૃષિ બર્બાદ થઇ ગઇ, હિન્દુસ્તાનના ખેતરો બર્બાદ થઇ ગયા તો સવા સૌ કરોડ લોકોનું પેટ કેવી રીતે ભરાશે. ત્યારે દેશ વિદેશમાંથી અનાજ આયાત કરવું પડશે. ત્યારે અન્ય દેશ મનમાની કરશે. દેશના સન્માન અને સ્વાભિમાનને બચાવવાનું કામ ખેડૂતનું છે. ખેડૂત માતાપિતાની હાલત જોઇને યુવાનો વિચારે છે કે આના કરતા તો શહેરોમાં જઇને મજદૂરી કરી લેવી સારી. આજે જ્યારે ટ્યૂબવેલમાં બાળક પડી જાય છે તો દેશભરના કેમેરા ત્યાં આવી જાય છે, સરકારના હોશ ઊડી જાય છે. પરંતુ હજારો ખેડૂત મરી જાય છે ત્યારે કોઇને તેમની ફિકર નથી હોતી.
મોદીનું સંપૂર્ણ ભાષણ ખેડૂત, કૃષિ અને ખેડૂતોના આત્મહત્યાના મુદ્દા પર રહ્યું, અને તેને પગલે મોદીએ કેન્દ્રની યૂપીએ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. જુઓ વીડિયોમાં મોદીના કોંગ્રેસ પર પ્રહાર...
મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
આજે નવી પેઢી ખેતીમાં આવતા ડરે છે. જો હિન્દુસ્તાનની કૃષિ બર્બાદ થઇ ગઇ, હિન્દુસ્તાનના ખેતરો બર્બાદ થઇ ગયા તો સવા સૌ કરોડ લોકોનું પેટ કેવી રીતે ભરાશે. ત્યારે દેશ વિદેશમાંથી અનાજ આયાત કરવું પડશે. ત્યારે અન્ય દેશ મનમાની કરશે. દેશના સન્માન અને સ્વાભિમાનને બચાવવાનું કામ ખેડૂતનું છે.
મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
ખેડૂત માતાપિતાની હાલત જોઇને યુવાનો વિચારે છે કે આના કરતા તો શહેરોમાં જઇને મજદૂરી કરી લેવી સારી.
મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
આજે જ્યારે ટ્યૂબવેલમાં બાળક પડી જાય છે તો દેશભરના કેમેરા ત્યાં આવી જાય છે, સરકારના હોશ ઊડી જાય છે. પરંતુ હજારો ખેડૂત મરી જાય છે ત્યારે કોઇને તેમની ફિકર નથી હોતી.
મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું, અને જણાવ્યું હતું કે બેંક અમીરોના કામમાં આવે છે. ગરીબો માટે પણ કામમાં આવવા જોઇએ. બેંકોની લોન મળવી જોઇએ, સહાયતા મળવી જોઇએ. વર્તમાનમાં બેંકોના કારોબારનું માત્ર પાંચ ટકા કિસાનો માટે આવે છે, બાકી મોટા ખારખાના-ફેક્ટ્રી લગાવનાર માલિકોના ઉપયોગમાં આવે છે.
મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
નાના નાના પરિવર્તનો કરવા જ ભાજપનું સંકલ્પ છે. અમે ખેડૂતની આવક વધારવા માંગીએ છીએ.તેના માટે ખેડૂતને મજબૂતી પ્રદાન કરવી અમારૂ લક્ષ્ય છે.
મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
જય જવાન, જય કિસાનનો નારો આપનાર સરકારોએ ખેડૂતો માટે કંઇ કર્યું નહીં, અને જવાનોની સુરક્ષા માટે પણ કંઇ કરી શકી નહી.
મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું
હું શહજાદાને પૂછવા માગુ છું કે આપના પિતાજીએ જણાવ્યું હતું કે દિલ્હીથી એક રૂપિયો નિકળે છે જે ગામડામાં આવતા આવતા 15 પૈસા થઇ જાય છે. દેશની જનતા જાણવા માગે છે કે આખરે કયો પંજો છે જે દેશના રૂપિયાને ખાઇ જાય છે.
નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ભાષણ જુઓ વીડિયોમાં...
મહારાષ્ટ્રના વર્ધામાં મોદીએ કોંગ્રેસને ફરી લલકાર્યું, નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ભાષણ જુઓ વીડિયોમાં...